Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

કેસર

 
કેસર ખૂબ કીમતી દ્રવ્ય છે અને તે વનસ્પતિજન્ય છે તેથી તેમાં ખૂબ ભેળસેળ થાય છે. કેસર અગ્નિદીપક, આમપાચક, રોચક, વેદનાહર, મળસંગ્રાહી, કામોત્તેજક, કૃમિનાશક, રંગ સુધારનાર, નેત્ર અને શિરોરોગહર છે.

કેસરથી થતા લાભ :

‘દૂધમાં કેસર નાખી ઉકાળીને દૂધનો રંગ સહેજ આછો પીળો થઇ જાય તેમાં સુગંધ સરસ આવે અને રોચકતા વધે છે.

આ દૂધ ખૂબ પૌષ્ટિક બને છે. કેસર દૂધનું સારી રીતે પાચન કરે છે.

‘શરદી-સળેખમ થયાં હોય તો નાગરવેલના પાનમાં કેસર નાખી ખાવું જોઇએ.

‘મીઠાઇઓ પચવામાં ભારે હોય છે. તેની પાચકતા વધારવા અને તેમાં રોચકતા લાવવા તેમાં કેસર નાખવું જોઇએ.

આહારસંહિતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો