Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

AJIT DJADAV

* વધારે પ્રમાણ માં ખવાયેલું મીઠું આંખનાં, ચામડીનાં અને લોહીવિકારનાં રોગો કરે છે.
* વધારે પ્રમાણમાં ખવાયેલું દહીં શરીરનાં સ્ત્રોતોનો અવરોધ કરીને કબજીયાત, લોહી વિકાર, ચામડીનાં રોગો અને સોજા લાવે છે.
* વધારે પ્રમાણમાં લેવાયેલ ક્ષાર પુરૂષત્વ અને દ્રષ્ટિને હાની કરે છે, અકાળે વૃદ્ધત્વ લાવે છે.
* વધારે પ્રમાણમાં ખવાયેલી શિંગ (મગફળી), બટાટાં અને કેળાં પેટમાં વાયુ કરે છે, અજીર્ણ કરે છે અને કબજિયાત કરે છે.
* વધુ પ્રમાણમાં પિવાયેલા ચા અને બીડી- સિગારેટ ભૂખને મારી નાંખે છે અને ફેફસાંને નબળાં કરે છે. દાંતને નુકશાન કરે છે, ઊંઘને ઓછી કરે છે.
* વધુ પ્રમાણમાં ખવાયેલ જાંબુ પેટમાં પુષ્કળ વાયુ કરે છે કબજિયાત કરે છે, આંચકી પણ લાવે છે.
* બરફની બનાવટોનું વધું પડતું સેવન શરીરની પાચનક્ષમતા ઓછી કરે છે (મંદાગ્નિ કરે છે), કાયમી શરદી અને કાકડા વધવાના રોગો પેદા કરે છે.
* વધારે પ્રમાણમાં ખવાતાં અડદ એ બુદ્ધિને મંદ કરે છે.
* વધુ પ્રમાણમાં ખવાતાં વેજીટેબલ ઘી હ્રદયનાં, પાચનનાં, શ્વસનનાં અને રૂધિરાભિષરણતંત્રના રોગો પેદાં કરે છે.
* વધું પ્રમાણમાં ખવાતી સોપારી ગળાનાં અને ફેંફસાનાં રોગો કરે છે અને લોહીનું પાણી કરે છે, અર્થાત તે શરીરમાં લોહીનો જથ્થો અને ગુણવત્તા ઘટાડી દે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો