Translate

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2011

લૂથી બચવાના ઉપાય


ગરમીમા તડકાનો કોપ બહુ ભયંકર હોય છે. ગરમી એવી લાગે છે જાણે કે કોઈ સર્પ આગના ફૂફાડા મારતો હોય. આવી ગરમ હવા ને લૂ કહેવાય છે. લૂ લાગનાર વ્યક્તિને શરીરમાં બળતરા થાય. હૃદયમાં અને ગળામા કાંટા પડતા હોય તેવી રીતે તકલીફ થાય છે.

લૂ લાગે ત્યારે નીચેના ઉપાયો કરવા જોઈએ.

- પંજરી ને પાણી માં ભેળવી મસળી નાખો, પછી તેને ગાળીને તેનુ પાણી પી જાવ.

- ગરમીની સીઝનમાં પાણીમાં થોડો ચણાનો ક્ષાર મેળવીને પીવાથી લૂ લાગવાનો ડર રહેતો નથી.

- ગરમીમા કાચી કેરીનુ પનુ બનાવીને પીવાથી પણ રાહત મળે છે.

- જવનો લોટ અને વાટેલી ડુંગળીનો લેપ લગાવવાથી તરતજ આરામ મળે છે.

- પાકી આમલીનુ શરબત બનાવીને પીવાથી રાહત મળે છે.

- મીઠી લસ્સી, લીંબુનુ શરબત વગેરે પીવવાથી રાહત મળે છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો