Translate

સોમવાર, 12 સપ્ટેમ્બર, 2011

બિમાર માણસનું ઉતમ ઔષધીય ફળ ચીકુ



કેળાં પછીનું બીજું સુલભ ફળ ચીકુ છે. તે પણ લગભગ બધી ઋતુમાં મળે છે અને સસ્તુ હોય છે, આબાલ-વૃદ્ધ સૌને તે ભાવે તેવું સ્વાદિષ્‍ટ હોય છે. ચીકુ સ્વાદે મીઠા હોય છે. તે સહેજ કાચાં હોય તો તૂરા લાગે છે. તાસીરે તે ઠંડા, સહેજ ચીકાશવાળા, પચવામાં પ્રમાણમાં હલકાં અને રોચક છે. તે પિત્તશામક અને કફકર છે. તે પોષક, શક્તિવર્ધક અને બળપ્રદ છે.
બીજાં ફળોની જેમ ચીકુમાં બિલકુલ ખટાશ હોતી નથી. કેળાંનો પણ આ જ ગુણ છે. તેથી આ બંને ફળો પિત્તરોગમાં સારા છે. ખાસ કરીને અમ્લપિત્તના રોગી માટે ચીકુ પથ્ય છે. બળતરા, તરસ, થાક અને અશક્તિ પણ આ ફળ મટાડે છે.
માંદગી પછીનો થાક, અશક્તિ, અગ્નિમાંદ્ય વગેરેની દ્રષ્ટિએ ચીકુ સારા છે. તે માંદાં લોકોને પણ આપી શકાય. રોગીઓની સામાન્ય શારીરિક શક્તિ ટકાવી રાખે છે અને શરીરને પોષણ આપે છે.
ચીકુમાં સાકર ભેળવી ખાવાથી પેશાબની બળતરા મટે છે.
ચીકુની છાલનો ઉકાળો તાવ અને ઝાડા મટાડે છે.
કાચાં ચીકુ ખાવા નહિ, તે પેટમાં ગરબડ કરે છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો