Translate

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2012

સિગ્નેચર





સિગ્નેચર હાથથી જ થાય છે એટલે દરેક ચીજ હાથવગી કરવાનું શક્ય બને છે. હાથમાંથી સરકી પડે એના કરતાં હાથવગું થાય એ યથાર્થ ગણાય. ખોબે ખોબે ભરી લેવાય એટલે ભગવાને બે હાથ આપ્યા છે. ઘણી વાર એક કહેવત સાંભળવા મળે છે કે, ‘હાથે કર્યાં તે હૈયે વાગ્યાં’ આ હાથ મજબૂત અને સક્ષમ હોય ત્યારે શુભત્વ સ્થપાય અને ક્રૂર, ઘાતકી, ખરડાયેલા હાથ નરકનો અનુભવો કરાવે છે. સિગ્નેચર સિદ્ધ કરવી એ મંત્રસિદ્ધિ જેટલી જ શુભ બાબત છે. સિગ્નેચર/હસ્તાક્ષર ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે એમાંથી નકારાત્મકતા સંપૂર્ણપણે દૂર થઈ જાય છે. આમ જે ઉંમરે સિદ્ધિ મેળવો તે ઉંમરથી ભાગ્ય ખૂલી જાય છે. ભાગ્ય ખૂલે તેને ભાગ્યે જ દુઃખનો અહેસાસ રહે છે. ભાગ્યવાનને લક્ષ્મીસમાન પત્ની મળે છે ત્યારે ભાગ્યોદયના આધારે જીવનમાં સુખ પ્રાપ્ત કરે છે.
સિગ્નેચર એ જીવનનું મુક્તક છે. બંધારણ પ્રમાણે સિગ્નેચર થાય એ જ ઇચ્છનીય છે, પરંતુ સિગ્નેચર કંઈ બંધારણયુક્ત બંધન નથી. એ તો બંધારણમુક્ત મોહપાશ છે. સિગ્નેચરની મોહિની જાદુઈ પરિણામો આપે છે. સારાં-નરસાંની જ આ દુનિયા છે. સવારથી ઊઠીને કે રાત્રે સૂઈ ફરી ઊઠીએ ત્યાં સુધીમાં દિવસ-રાત દરમ્યાન સારું-નરસું શું થયું એનો આપણે વિચાર અવશ્ય કરીએ છીએ, પંરતુ એ શેને આભારી છે એ જાણવાની તસ્દી લેતા નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણાં તત્ત્વો સફળતા નિષ્ફળતામાં યોગદાન આપે છે. લાખો કરોડો માઈલ દૂર રહેતા ગ્રહો હસ્તાક્ષરમાં મૂળાક્ષરરૂપે છુપાઈને પોતાનાં આંદોલનો ચલાવે છે. જેટલી સહી / સિગ્નેચર પ્રબળ એટલાં જ પ્રબળ આંદોલનો ને એટલાં જ પ્રબળ પરિણામો.
કોઈ પણ વસ્તુની માપણી કોઈ પણ યુનિટ કે માધ્યમથી કરીએ છીએ એમ જીવન વ્યક્તિની માપણી સિગ્નેચરના અભ્યાસથી કરવાનું જટિલ પણ ઉપલબ્ધ અવશ્ય છે. જે રીતે એક એક જિંદગી મૂલ્યવાન છે. તેમ એક એક સિગ્નેચર એ જીવન અભિયાન છે. આ અભિયાન અકસ્માત વિનાનું હોય તો ધ્યેય જલદી પૂરું થાય છે. કળિયુગમાં અસ્તિત્વ ટકાવી રાખવું અઘરું બન્યું છે ત્યારે અસ્તિત્વ ટકાવી રાખવું એટલું જ નહીં, પરંતુ વટથી એનો લાભ લેવો હોય તો હસ્તાક્ષર શુદ્ધિ ઉપર ભાર મૂકવો જરૂરી છે. કશું પણ લખી નાંખવું એ સિગ્નેચર બનતી નથી. સિગ્નેચર એ મગજ, હાથ, પેન, પેપર અને ધ્યેયને અનુલક્ષીને ઉપયોગમાં લેવામાં આવે તો ઉદ્ધાર થાય, નહીં તો ઉધાર. ઉધાર એટલે માઇનસ, નેગેટિવ, લોસ, ફેલ્યોર જ સમજવાં. જો ઈશ્વરી તાકાતનાં દર્શન કરવાં હોય, જો દુનિયાનો વિશિષ્ટ જાદુ જોવો હોય, ક્યારેય પણ ચમત્કાર ન જોયો હોય, સામર્થ્યનાં દર્શન કરવાં હોય તો કોઈ તગડી (આદર્શભાવે) સિગ્નેચરને જોઈને પરિણામો જુઓ. સમયને માપવાનાં યંત્ર હોય તો સિગ્નેચર-હસ્તાક્ષર છે. કોઈ પણ વ્યક્તિનો જીવનગ્રાફ સમજવાથી સિગ્નેચરની સ્ટ્રેન્થ ખબર પડી શકે છે.
હસ્તાક્ષર દ્વારા સમીકરણો સધાય છે, વ્યક્તિત્વ બને છે, નિર્ણયો લેવાય છે, ઉકેલ સધાય છે, પ્રેમ પાંગરે છે, પ્રારબ્ધ જાગે છે, સાચો ખજાનો કેવો હોય છે? કેમ મળી શકે? એનો પૂરો ચિતાર બને છે. હસ્તાક્ષર ‘પુ*’(પરિપક્વ) હોય તો વ્યક્તિ પરિપૂર્ણ બનવાની પ્રોસેસ માટે ક્વોલિફાય થઈ શકે છે.
જીવનની પગદંડી ઉપર હસ્તાક્ષર પુનિત પગલાં પડાવી શકે છે. જો હસ્તાક્ષર કરતાં પહેલાં પરિણામલક્ષી હસ્તાક્ષર કયા છે એ જાણી લઈએ તો સ્વાસ્થ્યની તકલીફો હોય અને આયુષ્ય માટે જોખમી દેખાય ત્યારે લાંબી સહી જીવનમાં વર્ષોનો વધારો કરે છે. જેથી જેની કુંડળીમાં વૈધવ્ય યોગ હોય તેને લાંબા આયુષ્યવાળી કુંડળીના માણસ સાથે લગ્ન કરાવવામાં આવે છે તેમ જ્યારે સંબંધો વિચ્છેદની અણી ઉપર આવીને ઊભા હોય ત્યારે શબ્દો/અક્ષરો વચ્ચેનો ગેપ ન રાખવો. સિગ્નેચરમાં કન્ટિન્યુટી લાવવાથી સંબંધોમાં સુધારો અવશ્ય થાય છે. હસ્તાક્ષર સમજદારીથી કરવામાં આવે તો આપણો સ્વાર્થ સાધી શકીએ છીએ, પરંતુ એનો અર્થ એ નથી થતો કે બીજાને નુકસાન કરવા માટેના પ્રકારની સહી તૈયાર કરવી. જેમ બંદૂકની ગોળી સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાની હોય છે, નહીં કે બીજાની જાન લેવા તેમ હસ્તાક્ષર પણ સદુપયોગ માટે છે દુરુપયોગ માટે નહીં. અધિકારો મળતા નથી, અધિકારો મેળવવા સંઘર્ષ કરવો પડે છે તેમ સુંદર પરિણામો પામવા સુંદર હસ્તાક્ષર કરવા પડે ને? હસ્તાક્ષર અલંકાર છે, રત્ન છે, વરદાન છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશના સામર્થ્યનું પ્રતિબિંબ છે. કલ્પવૃક્ષ, કામધેનુ અને ઇચ્છાર્પૂિતનું સઘન માધ્યમ છે. હસ્તાક્ષરનો ઉપયોગ સાચી રીતે કરી શકો તો સુખમય જીવન જીવવાનું એકમાત્ર સચોટ પ્રમાણ છે. કર્મનું ફળ અવશ્ય કર્મ પ્રમાણે મળે છે, પરંતુ કર્મ સુધારવાનું જો કોઈ શાસ્ત્ર નિખાલસ ભાવે સમજાવે છે એ હસ્તાક્ષરશાસ્ત્ર છે. એ ગણિત પણ છે, વિજ્ઞાન પણ છે, ગ્રહોની ચાલ (ગતિ) પણ છે અને ઉજ્જવળ ભવિષ્યનાં દ્વાર ખોલવાની ચાવી પણ છે.
જે કાર્ય મંત્ર, યંત્ર અને તંત્ર (ખર્ચાળ રીતે) દ્વારા થાય છે એ જ કાર્ય હસ્તાક્ષરની સાચી સમજણથી વિના ખર્ચે પ્રાપ્ત કરી શકાય છે, જીવનમાં અનેક ટુચકાઓ કે નુસખાઓ દ્વારા ઉપાધિઓમાંથી બહાર આવવાનું સમજાવાય છે, એ જ બાબતોનું સાકાર સ્વરૂપ સ્વસ્થ, પ્રબળ, પ્રધાન અને હકારાત્મક સિગ્નેચર દ્વારા મૂર્ત કરી શકાય છે. હસ્તાક્ષરમાંથી પરિર્વિતત થતાં આંદોલનોની તાકાત પ્રમાણે પરિણામોની આશા રખાય. હસ્તાક્ષરનું બંધારણ જેટલું મજબૂત એટલું સારું. આદર્શ હસ્તાક્ષર બનાવવા માટે કેટલીક બાબતો ધ્યાનથી જાણવી, સમજવી જરૂરી છે. જેમાં લખાણ, મરોડ, સ્વરૂપ, ક્ષેત્રફળ, ચુંબકત્વ અને પ્રકાર ખૂબ જ મહત્ત્વનાં છે. અગત્યતા જાણ્યા વિના અક્ષરો કાઢવા, ગમે ત્યાં ટપકાં કરવાં, અધૂરપની રીતે સિગ્નેચર બનાવવી, બગાડવી, મૃતઃપ્રાય બનાવવી આ બધું શુભ ફળ કે પરિણામો બગાડે છે. સંઘર્ષ અવરોધો અને લાંબાગાળાની મડાગાંઠ આપે છે. સુવાચ્ય રીતે લખાય એવી સિગ્નેચર સરળ જરૂર લાગે છે, પરંતુ એમાં નકારાત્મકતા નથી હોતી. સિગ્નેચરની કોપી થાય એવા ડરથી વાંકીચૂકી, ચેકચાકવાળી અને ભમરડાના ચક્કરોવાળી સહી ઇચ્છનીય નથી. સિગ્નેચરનો ગ્રાફ બનાવી સહીની આબાદ નકલ કરાય છે, પણ એ બધું ફ્રોડ (બનાવી) સમજાય છે. સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓને સારા અક્ષરે લખવાનું કહેવામાં આવે છે, પરંતુ ‘હસ્તાક્ષરનો અભ્યાસ’ અભ્યાસક્રમમાં દાખલ કરવાથી વિદ્યાર્થીઆલમને ફાયદો થશે.
એક હસ્તાક્ષર કરોડોનું સંચાલન કરી શકે છે. નેતૃત્વ કરી શકે છે. ભાવિ બનાવી શકે છે. એક હસ્તાક્ષર વ્યક્તિને ફાંસીને માંચડે ચઢાવી શકે છે. સંબંધો ભસ્મીભૂત કરી શકે છે. પૈસો પાયમાલ કરાવી નાંખે છે અને ઘર ઘરની ઠોકર (દર દર કી ઠોકર) ખાવા મજબૂર કરી નાંખે છે. તો નક્કી એ કરવાનું છે આપણને શું ખપે છે? આપણને શેની જરૂર છે દૈવીતત્ત્વ કે રાક્ષસીતત્ત્વ. સારું સમજવા સૌ શક્તિમાન છે

જાણવા જેવું

1) આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ
   
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ


(
) ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા
,  
   
ચોમાસે ભલા, ત્રિફલા જાણી જો બારે માસ


(
) ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસુ  રોગીનું
,
   
મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું


(4
) બાજરીના રોટલા ખાય જો
,
     
હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન


(5
) રોટલા,કઠોળને , ખાનારની તબીઅત તાજી

    
રાતે ખાય તે રહે  રાજી
 

(6
    દૂધ-સાકર, એલચી, વરીયાળી ને દ્રાક્ષ ગાનારા સૌ ખાય

(7
)આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર

     
શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર


(8
) ખાંડ,મીઠું અને સોડા સફેદ ત્રણ ઝેર કહેવાય
,
     
નિત ખાવા પીવામાં વિવેક બુદ્ધિથી લેવાય


(9
) કજીયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી


(1
) હિંગ,મરચું ને આમલી ને સોપારી ને તેલ

     
જો ખાવાનો શોખ હોઈ તો પાંચેય વસ્તુ મેલ


(11
) લીંબુ કહે હું ગોળ ગોળ ,ભલે રસ મારો છે ખાટો
,
     
મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો

(12) મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ,
     
બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું  માંદુ


(13
) આમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ

       
લીંબુમાં અવગુણ એક નહીં,  ગુણ છે પુરા વીસ


(1
4) કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી
,
       
જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી


(1
5) સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ  ઔષધ ઉપવાસ
 
       
હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ

બીમારીઓનાં મૂળ આ તનાવમાં પડેલાં છે.

આજના પ્રગતિશીલ યુગમાં માનસિક તણાવ ડગલે ને પગલે જોવા મળે છે. અનેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓનાં મૂળ આ તનાવમાં પડેલાં છે. તનાવનાં વિવિધ કારણોમાં અસલામતી અને અળગાપણાની ભાવના મોખરે છે.
વૈજ્ઞાનિકોએ આ વિષયમાં ઊંડો અભ્યાસ કર્યો છે. અસલામતી અને અળગાપણાની ભાવનાથી શરીર અને મનમાં થતી પ્રક્રિયાઓને ચેતનાની અનુભૂતિ દ્વારા સલામતી અને ઐક્યની ભાવનામાં પલટાવી શકાય છે. તેમ થતાં વ્યક્તિ ઘણા રોગોમાંથી મુક્ત થાય છે. બીજાં કેટલાંક લાભદાયી પરિવર્તનો કરવા આંતરિક શક્તિ પ્રાપ્ત કરે છે અને શાંતિનો અનુભવ કરે છે. ચેતનાની અનુભૂતિ કરાવવાનુમ સામર્થ્ય શવાસનમાં છે. વધુમાં શવાસનથી વ્યક્તિની આત્મશક્તિનો વિકાસ થાય તે ભૌતિક સમૃદ્ધિમાં પણ મદદરૂપ બની વ્યક્તિને જગતમાં ટોચ ઉપર મૂકી શકે છે.
ચેતના
ચેતના એ આપણા અસ્તિત્વનું હાર્દ છે. સમગ્ર વિશ્વ એ ચેતનાનો આવિષ્કાર છે. આપણું શરીર, મન, અને બુદ્ધિ એ આપણી ચેતનાને આવરી લેતાં બહારનાં આવરણો છે. વાસ્તવમાં આપણે એ મહાન તત્વ-ચેતના છીએ. સામાન્યપણે આપણે આ સત્યથી અજાણ હોઈએ છીએ. કારણ કે આપણું ધ્યાન હંમેશા શરીર, મન અને બુદ્ધિને લગતી બાબતોમાં જ રાચતું હોય છે. આ અળગાપણું લાવે છે.
પ્રાણીઓમાં આસપાસની સૃષ્ટિનું ભાન તો હોય છે પણ પોતાનું – સ્વનું ભાન હોતું નથી. એટલે અંશે પ્રાણીઓમાં ચેતના ઓછી છે. તેમ છતાં ચેતના વધતે ઓછે અંશે સર્વત્ર છે. માનવી પોતાની ચેતના વિશે સભાન રહેવાની શક્તિ ધરાવે છે. આપણે આપણા વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને આપણે ઈચ્છીએ તે ઉપર ધ્યાન લઈ જઈ શકીએ છીએ.
આપણે શરીર અને મનને શાંત પાડીએ તો શરીર અને મનને ચેતનવંતુ રાખનારી ચેતનાનો અનુભવ થાય છે. એ ચેતના આપણા સહુની એક છે. વિશ્વને ચેતનવંતુ રાખનારી ચેતનાનો પ્રભાવ આપણમાં ઐક્યની – જોડાણની ભાવના જન્માવે છે અને આપણી શક્તિઓને ખીલવે છે. માત્ર સાત મિનિટના શવાસનથી ચેતનાના ગુણોનો પ્રભાવ આપણી પ્રવૃત્તિઓમાં લગભગ ચારથી પાંચ કલાક રહે છે. શવાસનમાં શરીર અને મનને શાંત કરવાની અદભુત શક્તિ છે. તે વ્યક્તિને મૂળ તત્વ સુધી પહોંચાડી શાશ્વત સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે.
અસલામતીની ભાવના
માનવ શરીરે પોતાના અસ્તિત્વ માટે કેટલીક સ્વયંસંચાલિત યંત્રરચનાઓ વિકસાવી છે. ભય વખતે અનુકંપી (સિમ્પેથેટિક) ચેતાતંત્ર કાર્યાન્વિત બને છે. તે વ્યક્તિને ભય સામે લડી લેવા અથવા ભયથી દૂર નાસી જવા તૈયાર કરે છે. ભય દૂર થતાવેંત પરાનુકંપી (પેરાસિમ્પેથેટિક) ચેતાતંત્રનું કાર્ય શરૂ થાય છે. આથી વ્યક્તિ શાંત પડે છે. આજે હવે જંગલી પ્રાણીઓનો ભય રહ્યો નથી ત્યારે માનવીએ ઘણા કાલ્પનિક ભય ઊભા કર્યા છે. “ધંધામાં સફળતા મળશે કે નહીં? કોલેજમાં ઍડમિશન મળશે કે નહીં? આવા ઉપરાઉપરી વિચારોથી ભયની ગ્રંથિ સતત ઉત્તેજિત રહ્યા કરે છે. એનાથી માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. પરિણામે અનુકંપી ચેતાતંત્ર વારંવાર સક્રિય બને છે. તેમ થતાં ઉત્તેજિત થયેલી ગ્રંથિઓ રસાયણોનો વધારે પડતો સ્ત્રાવ રક્તપ્રવાહમાં ઠાલવે છે. આ કારણે વ્યક્તિ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગ, માઈગ્રેન, ઍસિડિટી, ડિપ્રેશન જેવા અનેક રોગોનો ભોગ બને છે. તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને શરીરના ઘસારાની ક્રિયાને વેગ મળે છે.
અળગાપણાની ભાવના (આઈસોલેશન)
સામાન્યપણે આપણે શરીર અને મનને લગતી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહીએ છીએ. આ પ્રવૃત્તિઓ આપણને આપણામાં રહેલી પરમશક્તિથી અલગ કરે છે અને અળગાપણું લાવે છે. અળગાપણાની ભાવનાથી વ્યક્તિના સ્વભાવમાં ઉગ્રતા, વેરવૃત્તિ, સ્વાર્થીપણું, વગેરે જન્મે છે. આ બધાને કારણે ભાવાત્મક તનાવ ઉત્પન્ન થાય છે. આજના યુગમાં ભાવાત્મક તનાવ સૌથી વિશેષ જોવા મળે છે.
ભાવાત્મક તનાવ વખતે અનુકંપી ચેતાતંત્રની પ્રક્રિયા સતેજ થતાં ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ)માં સંતુલન ખોરવાય છે. તેમ થતાં તનના અને મનના આરોગ્યને હાનિકારક અસરો પહોંચે છે.
શવાસનમાં તેનાથી ઊલટું બને છે. શવાસનથી ચેતાતંત્રમાં સંતુલન પ્રાપ્ત થાય છે, તનાવ ઘટે છે અને વ્યક્તિમાં સલામતી અને ઐક્યની ભાવના ખીલે છે.
જ્યારે મનમાં કોઈ પણ પ્રકારનો તણાવ હોય ત્યારે શરીરના સ્નાયુઓ આપણી જાણ બહાર સૂક્ષ્મ રીતે સંકોચાઈ કદમાં ટૂંકા થાય છે. આ સ્નાયુઓને હળવાશથી થોડા ખેંચી, લંબાવીએ કે તરત જ તનાવનાં ચિહ્નમાં ખાસ્સો ઘટાડો થાય છે. આને muscle to mind control કહે છે. જ્યારે થોડા ખેંચીને લંબાવેલા સ્નાયુને આપણે શિથિલ કરીએ છીએ ત્યારે મન વધુ શાંત થવા લાગે છે. મન ફક્ત મગજમાં નથી, પણ શરીરના અણુએ અણુમાં વ્યાપેલું છે. તેથી મનને શાંત કરવા શરીરને શાંત કરવું જરૂરી છે. શરીરના સ્નાયુઓને વારાફરતી ખેંચી તેને ઢીલા છોડવાની, શિથિલ કરવાની કસરતો શવાસનની ભૂમિકા તૈયાર કરે છે. સ્નાયુઓ શિથિલ થતાં મન શાંત થાય છે. મન શાંત થતાં શરીર વધુ શિથિલ થાય છે. આ સુખદ ચક્ર છે. આ પ્રક્રિયા દરમિયાન મન સ્નાયુ ખેંચવાની અને શિથિલ થવાની ક્રિયામાં પરોવાયેલું રહે તે અગત્યનું છે. શવાસન અને ધ્યાન શાશ્વત વર્તમાન ક્ષણના આનંદને માણવામાં સહાયભૂત થાય છે.
માનવીના શરીરનું સંચાલન મૂળભૂત રીતે મગજ, કરોડરજ્જુ અને જ્ઞાનતંતુના બનેલા ચેતાતંત્ર દ્વારા થાય છે.તણાવ વખતે તેમાં અનુકંપી ચેતાતંત્ર સક્રિય બને છે. શવાસન દરમિયાન પરાનુકંપી ચેતાતંત્ર કાર્યાન્વિત થાય છે અને બંને વચે સંતુલન પ્રાપ્ત થાય છે. પરિણામે ઍડ્રેનલિન, નોરએડ્રેનલિન અને કોર્ટિકોસ્ટેરૉઈડ જેવા હૉર્મોનના સ્ત્રાવ ઘટી નૉર્મલ થાય છે. લેક્ટિક ઍસિડ બનવાનું પ્રમાણ ઘટે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. વળી મગજમાંથી એન્ડ્ર્ફિન્સ અને ન્યુરો પેપ્ટાઈડ્ઝના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તેનાથી શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આ જૈવ રાસાયણિક ફેરફારોથી સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ થાય છે.
શવાસનના ઉપયોગો
શવાસન અને ધ્યાનના ફાયદાઓ સમજાયા પછી તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. આરોગ્યક્ષેત્રે હ્રદયરોગ, કૅન્સર તેમજ ઘણા દર્દોમાં તે લાભદાયી પુરવાર થયેલ છે. વ્યક્તિમાં તનાવ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા, ઉત્પાદન વધારવા ઘણાં ક્ષેત્રમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. રમતવીરોમાં તેનાથી સહનશક્તિ અને સહકારવૃત્તિ વધતાં જોવામાં આવ્યાં છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થાનું ધ્યાન ખેંચાયું છે કે વિદ્યાર્થીઓને જો શવાસન કરાવવામાં આવે તો તેમની એકાગ્રતામાં વધારો થાય. યાદશક્તિ અને ગ્રહણશક્તિ વધે તેમનામાં પડકારો ઝીલવાની ક્ષમતામાં વધારો થાય્ તેમની વિચારસરણી હકારાત્મક બનતાં વિકાસ અને પ્રગતિ ઝડપી બને. સગર્ભા સ્ત્રીઓ માટે પણ શવાસનની ભલામણ કરવામાં આવી છે. તેનાથી માતાના ઉદરમાં વિકસતા બાળક ઉપર મંગલ અસર થાય છે.
શવાસન કરવાની રીત
શવાસન કરવું ખૂબ જ સરળ છે. તે બેસીને પણ કરી શકાય. શવાસન સફળ રીતે કરવા માટે સૌ પ્રથમ આપણું બધું ધ્યાન શરીર ઉપર કેન્દ્રિત કરવાનું હોય છે. આ સમયે બીજા વિચારો આવે તે સ્વાભાવિક છે, પણ તે નકાર્યા વિના વિચારો ઉપર ધ્યાન ન આપતાં શરીર ઉપર ધ્યાન આપવું. વિચારો ઉપર ધ્યાન નહીં આપો તો તે આપોઆપ શમી જશે. તે પછી શ્વાસ સાથે એકરૂપ થતાં શવાસનના લાભ મળવા શરૂ થઈ જાય છે.
શવાસન માટે જમીન પર ચત્તા સૂઈ જાઓ. પગના બે પંજા વચ્ચે એકાદ ફૂટ જેટલું અંતર રાખો. બંને હાથ શરીરથી થોડા દૂર રાખી હથેળી આકાશ તરફ અને મુઠ્ઠી અડધી વાળેલી રાખો. વધુ શિથિલીકરણ માટે નીચે જણાવેલ અંગોને વારાફરતી ખેંચી એ ખેંચાતાં અંગો પર ધ્યાન લાવી, ખેંચાણનો અનુભવ કરી ઢીલાં મૂકતા જાઓ. દરેક ક્રિયા ઉતાવળ કર્યા વગર કે જોર કર્યા વગર બબ્બે વખત લયબદ્ધ રીતે કરો.
૧. બંને પગના પંજાને આગળની તરફ ખેંચી ઢીલા છોડી દો.
૨. ડાબા પગનાં આંગળાથી ઠેઠ થાપા સુધી સ્નાયુઓને ખેંચી ઢીલા છોડી દો. આ પ્રમાણે જમણા પગને પણ બે વખત કરો.
૩. કમર નીચેના અને થાપાના સ્નાયુઓનું સંકુચન કરી ઢીલા છોડી દો.
૪. ફેફસામાં હવા ભરી છાતીના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી, તેને શિથિલ કરો.
૫. બંને હાથની મુઠ્ઠીઓ વાળી પંજાથી ખભા સુધીના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી શિથિલ કરો.
૬. ગરદનને ડાબેથી જમણે અને જમણેથી ડાબે લઈ જઈ, જે સ્થિતિમાં ફાવે તેમ ગરદનને રહેવા દો.
૭. જડબાને ધીરેથી પૂરેપૂરું ખોલો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલું છોડી દો. દાંત ભીંસાય નહીં તે પ્રમાણે જડબું હળવેથી બંધ થવા દો.
૮. આંખો ધીરેથી ખોલો, પૂરી ખોલો, ભ્રમર અને કપાળના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલા છોડી દો. આંખોને હળવેથી બંધ થવા દો.
આમ આખા શરીરને શિથિલ કર્યા બાદ શરીરને ભૂલી શિથિલ અવસ્થામાં પડ્યા રહો. અહીં તમારું મન પણ શાંત થઈ ગયું છે. ખાસ ખ્યાલ રાખો કે શ્વાસ જેમ ચાલે છે તેમ ચાલવા દો. તેની ગતિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તેને માત્ર જોયા કરો. એક પણ શ્વાસ તમારા ખ્યાલ વિના ન અંદર જાય કે ન બહાર આવે તેની તકેદારી રાખો.
એવું બને કે ચિત્ત શ્વાસોચ્છવાસ ઉપરથી ખસી અન્ય વિચારોમાં સરકી જાય, તેનો ખ્યાલ આવે કે તરત તેને હળવેથી પાછું શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં જોડી દો. શરીરના પ્રત્યેક સ્નાયુ શિથિલ થતાં, શ્વાસ સાથે એકરૂપ બનતાં, શ્વસન પોતાની મેળે ઉદરીય બને છે. ઉદરીય શ્વસન શિથિલીકરણને વધુ ઊંડું બનાવે છે. આવી પ્રગાઢ શાંતિની સ્થિતિમાં થોડી મિનિટ પડ્યા રહો. આ શવાસન છે. મન શાંત અને શ્વાસ સાથે એકાગ્ર છે. આ પરમ શાંતિ અને આનંદની, ચેતનાની અનુભુતિની ક્ષણો છે. આ ક્ષણે કેટલીક વિશિષ્ટ ઘટનાઓ ઘટે છે.
તમે તમારું ધ્યાન જ્યારથી એક પછી એક ખેંચાતા અને શિથિલ થતાં સ્નાયુઓ ઉપર લઈ જાઓ છો ત્યારથી શવાસનની શરૂઆત થાય છે અને શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી તે સંપૂર્ણ થાય છે. શવાસનમાંથી બહાર આવવા એક-બે ઊંડા શ્વાસ લઈ હળવેથી હાથપગ હલાવી પડખું ફરી બેઠા થાઓ.
શવાસનમાં વિશિષ્ટ શું બને છે?
૧. વ્યક્તિનો તનાવ પ્રત્યે પ્રતિભાવ બદલાય છે. વ્યક્તિના વિચારો, વૃત્તિઓ, ભાવનાઓમાં પરિવર્તન આવે છે. ક્રોધ, વેરભાવ શમે છે.
૨. શવાસનમાં વર્તમાનમાં રહેવાનો મહાવરો થાય છે.
૩. શવાસન દરમિયાન વ્યક્તિને પોતાની સાચી ઓળખ થાય છે અને અહેસાસ થાય છે કે જે શાશ્વત અને અવિનાશી છે તે પોતે જ છે, તેને મૃત્યુનો ભય ક્યાંથી હોય!
૪. શવાસન દરમિયાન શરીરને નિષ્પ્રાણ જેવું બનાવવાનો અનુભવ થતો હોવાથી પણ મૃત્યુનો ડર ઘટી જાય છે.
૫. શવાસનમાં વ્યક્તિ પોતાની આકાંક્ષાઓનું મનોપટ પર ચિત્ર ખડું કરી તે ફળીભૂત થાય તો કેવો આનંદ થાય તે અનુભૂતિ જો વારંવાર કરે તો એ આકાંક્ષાઓ ફળીભૂત થવામાં સહાય થાય.
૬. શવાસન દરમિયાન ધ્યાન વખતે વ્યક્તિ પોતા માટે, સહુ માટે, પોતાના પ્રતિસ્પર્ધી કે વિરોધી માટે પણ પ્રેમ અને કરુણાથી ભરપૂર શુભ ભાવના રાખે તો તે અન્યોને કલ્યાણકારી નીવડે તે કરતાં વધુ, વ્યક્તિને પોતાને શ્રેયકર નીવડે છે.
૭. આ ક્ષણ માનવીય ગુણોમાં પરિવર્તન માટે ટર્નિંગ પૉઈન્ટ બની રહે છે.
શીઘ્ર શવાસન
શરીરનાં બધાં અંગો વારાફરતી ખેંચી શિથિલ કરી શવાસન કરવા માટે સમય ન હોય તો શીઘ્ર શવાસન કરીને શવાસનનો લાભ લઈ શકાય.
આરામથી ચત્તા સૂઈ શરીર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હાથ, પગ અને ધડના સ્નાયુઓને એક સાથે ખેંચી, સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવી જાઓ. ફરી એ પ્રમાણે કરો. થોડી મિનિટ શિથિલ અવસ્થામાં શ્વાસ સાથે એકાગ્ર થઈ પડ્યા રહો. પછી એક-બે ઊંડા શ્વાસ લઈ હળવેથી હાથપગ હલાવી પડખું ફરી બેઠા થાઓ
આજના પ્રગતિશીલ યુગમાં માનસિક તણાવ ડગલે ને પગલે જોવા મળે છે. અનેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓનાં મૂળ આ તનાવમાં પડેલાં છે. તનાવનાં વિવિધ કારણોમાં અસલામતી અને અળગાપણાની ભાવના મોખરે છે.
વૈજ્ઞાનિકોએ આ વિષયમાં ઊંડો અભ્યાસ કર્યો છે. અસલામતી અને અળગાપણાની ભાવનાથી શરીર અને મનમાં થતી પ્રક્રિયાઓને ચેતનાની અનુભૂતિ દ્વારા સલામતી અને ઐક્યની ભાવનામાં પલટાવી શકાય છે. તેમ થતાં વ્યક્તિ ઘણા રોગોમાંથી મુક્ત થાય છે. બીજાં કેટલાંક લાભદાયી પરિવર્તનો કરવા આંતરિક શક્તિ પ્રાપ્ત કરે છે અને શાંતિનો અનુભવ કરે છે. ચેતનાની અનુભૂતિ કરાવવાનુમ સામર્થ્ય શવાસનમાં છે. વધુમાં શવાસનથી વ્યક્તિની આત્મશક્તિનો વિકાસ થાય તે ભૌતિક સમૃદ્ધિમાં પણ મદદરૂપ બની વ્યક્તિને જગતમાં ટોચ ઉપર મૂકી શકે છે.
ચેતના
ચેતના એ આપણા અસ્તિત્વનું હાર્દ છે. સમગ્ર વિશ્વ એ ચેતનાનો આવિષ્કાર છે. આપણું શરીર, મન, અને બુદ્ધિ એ આપણી ચેતનાને આવરી લેતાં બહારનાં આવરણો છે. વાસ્તવમાં આપણે એ મહાન તત્વ-ચેતના છીએ. સામાન્યપણે આપણે આ સત્યથી અજાણ હોઈએ છીએ. કારણ કે આપણું ધ્યાન હંમેશા શરીર, મન અને બુદ્ધિને લગતી બાબતોમાં જ રાચતું હોય છે. આ અળગાપણું લાવે છે.
પ્રાણીઓમાં આસપાસની સૃષ્ટિનું ભાન તો હોય છે પણ પોતાનું – સ્વનું ભાન હોતું નથી. એટલે અંશે પ્રાણીઓમાં ચેતના ઓછી છે. તેમ છતાં ચેતના વધતે ઓછે અંશે સર્વત્ર છે. માનવી પોતાની ચેતના વિશે સભાન રહેવાની શક્તિ ધરાવે છે. આપણે આપણા વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને આપણે ઈચ્છીએ તે ઉપર ધ્યાન લઈ જઈ શકીએ છીએ.
આપણે શરીર અને મનને શાંત પાડીએ તો શરીર અને મનને ચેતનવંતુ રાખનારી ચેતનાનો અનુભવ થાય છે. એ ચેતના આપણા સહુની એક છે. વિશ્વને ચેતનવંતુ રાખનારી ચેતનાનો પ્રભાવ આપણમાં ઐક્યની – જોડાણની ભાવના જન્માવે છે અને આપણી શક્તિઓને ખીલવે છે. માત્ર સાત મિનિટના શવાસનથી ચેતનાના ગુણોનો પ્રભાવ આપણી પ્રવૃત્તિઓમાં લગભગ ચારથી પાંચ કલાક રહે છે. શવાસનમાં શરીર અને મનને શાંત કરવાની અદભુત શક્તિ છે. તે વ્યક્તિને મૂળ તત્વ સુધી પહોંચાડી શાશ્વત સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે.
અસલામતીની ભાવના
માનવ શરીરે પોતાના અસ્તિત્વ માટે કેટલીક સ્વયંસંચાલિત યંત્રરચનાઓ વિકસાવી છે. ભય વખતે અનુકંપી (સિમ્પેથેટિક) ચેતાતંત્ર કાર્યાન્વિત બને છે. તે વ્યક્તિને ભય સામે લડી લેવા અથવા ભયથી દૂર નાસી જવા તૈયાર કરે છે. ભય દૂર થતાવેંત પરાનુકંપી (પેરાસિમ્પેથેટિક) ચેતાતંત્રનું કાર્ય શરૂ થાય છે. આથી વ્યક્તિ શાંત પડે છે. આજે હવે જંગલી પ્રાણીઓનો ભય રહ્યો નથી ત્યારે માનવીએ ઘણા કાલ્પનિક ભય ઊભા કર્યા છે. “ધંધામાં સફળતા મળશે કે નહીં? કોલેજમાં ઍડમિશન મળશે કે નહીં? આવા ઉપરાઉપરી વિચારોથી ભયની ગ્રંથિ સતત ઉત્તેજિત રહ્યા કરે છે. એનાથી માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. પરિણામે અનુકંપી ચેતાતંત્ર વારંવાર સક્રિય બને છે. તેમ થતાં ઉત્તેજિત થયેલી ગ્રંથિઓ રસાયણોનો વધારે પડતો સ્ત્રાવ રક્તપ્રવાહમાં ઠાલવે છે. આ કારણે વ્યક્તિ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગ, માઈગ્રેન, ઍસિડિટી, ડિપ્રેશન જેવા અનેક રોગોનો ભોગ બને છે. તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને શરીરના ઘસારાની ક્રિયાને વેગ મળે છે.
અળગાપણાની ભાવના (આઈસોલેશન)
સામાન્યપણે આપણે શરીર અને મનને લગતી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહીએ છીએ. આ પ્રવૃત્તિઓ આપણને આપણામાં રહેલી પરમશક્તિથી અલગ કરે છે અને અળગાપણું લાવે છે. અળગાપણાની ભાવનાથી વ્યક્તિના સ્વભાવમાં ઉગ્રતા, વેરવૃત્તિ, સ્વાર્થીપણું, વગેરે જન્મે છે. આ બધાને કારણે ભાવાત્મક તનાવ ઉત્પન્ન થાય છે. આજના યુગમાં ભાવાત્મક તનાવ સૌથી વિશેષ જોવા મળે છે.
ભાવાત્મક તનાવ વખતે અનુકંપી ચેતાતંત્રની પ્રક્રિયા સતેજ થતાં ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ)માં સંતુલન ખોરવાય છે. તેમ થતાં તનના અને મનના આરોગ્યને હાનિકારક અસરો પહોંચે છે.
શવાસનમાં તેનાથી ઊલટું બને છે. શવાસનથી ચેતાતંત્રમાં સંતુલન પ્રાપ્ત થાય છે, તનાવ ઘટે છે અને વ્યક્તિમાં સલામતી અને ઐક્યની ભાવના ખીલે છે.
જ્યારે મનમાં કોઈ પણ પ્રકારનો તણાવ હોય ત્યારે શરીરના સ્નાયુઓ આપણી જાણ બહાર સૂક્ષ્મ રીતે સંકોચાઈ કદમાં ટૂંકા થાય છે. આ સ્નાયુઓને હળવાશથી થોડા ખેંચી, લંબાવીએ કે તરત જ તનાવનાં ચિહ્નમાં ખાસ્સો ઘટાડો થાય છે. આને muscle to mind control કહે છે. જ્યારે થોડા ખેંચીને લંબાવેલા સ્નાયુને આપણે શિથિલ કરીએ છીએ ત્યારે મન વધુ શાંત થવા લાગે છે. મન ફક્ત મગજમાં નથી, પણ શરીરના અણુએ અણુમાં વ્યાપેલું છે. તેથી મનને શાંત કરવા શરીરને શાંત કરવું જરૂરી છે. શરીરના સ્નાયુઓને વારાફરતી ખેંચી તેને ઢીલા છોડવાની, શિથિલ કરવાની કસરતો શવાસનની ભૂમિકા તૈયાર કરે છે. સ્નાયુઓ શિથિલ થતાં મન શાંત થાય છે. મન શાંત થતાં શરીર વધુ શિથિલ થાય છે. આ સુખદ ચક્ર છે. આ પ્રક્રિયા દરમિયાન મન સ્નાયુ ખેંચવાની અને શિથિલ થવાની ક્રિયામાં પરોવાયેલું રહે તે અગત્યનું છે. શવાસન અને ધ્યાન શાશ્વત વર્તમાન ક્ષણના આનંદને માણવામાં સહાયભૂત થાય છે.
માનવીના શરીરનું સંચાલન મૂળભૂત રીતે મગજ, કરોડરજ્જુ અને જ્ઞાનતંતુના બનેલા ચેતાતંત્ર દ્વારા થાય છે.તણાવ વખતે તેમાં અનુકંપી ચેતાતંત્ર સક્રિય બને છે. શવાસન દરમિયાન પરાનુકંપી ચેતાતંત્ર કાર્યાન્વિત થાય છે અને બંને વચે સંતુલન પ્રાપ્ત થાય છે. પરિણામે ઍડ્રેનલિન, નોરએડ્રેનલિન અને કોર્ટિકોસ્ટેરૉઈડ જેવા હૉર્મોનના સ્ત્રાવ ઘટી નૉર્મલ થાય છે. લેક્ટિક ઍસિડ બનવાનું પ્રમાણ ઘટે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. વળી મગજમાંથી એન્ડ્ર્ફિન્સ અને ન્યુરો પેપ્ટાઈડ્ઝના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તેનાથી શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આ જૈવ રાસાયણિક ફેરફારોથી સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ થાય છે.
શવાસનના ઉપયોગો
શવાસન અને ધ્યાનના ફાયદાઓ સમજાયા પછી તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. આરોગ્યક્ષેત્રે હ્રદયરોગ, કૅન્સર તેમજ ઘણા દર્દોમાં તે લાભદાયી પુરવાર થયેલ છે. વ્યક્તિમાં તનાવ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા, ઉત્પાદન વધારવા ઘણાં ક્ષેત્રમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. રમતવીરોમાં તેનાથી સહનશક્તિ અને સહકારવૃત્તિ વધતાં જોવામાં આવ્યાં છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થાનું ધ્યાન ખેંચાયું છે કે વિદ્યાર્થીઓને જો શવાસન કરાવવામાં આવે તો તેમની એકાગ્રતામાં વધારો થાય. યાદશક્તિ અને ગ્રહણશક્તિ વધે તેમનામાં પડકારો ઝીલવાની ક્ષમતામાં વધારો થાય્ તેમની વિચારસરણી હકારાત્મક બનતાં વિકાસ અને પ્રગતિ ઝડપી બને. સગર્ભા સ્ત્રીઓ માટે પણ શવાસનની ભલામણ કરવામાં આવી છે. તેનાથી માતાના ઉદરમાં વિકસતા બાળક ઉપર મંગલ અસર થાય છે.
શવાસન કરવાની રીત
શવાસન કરવું ખૂબ જ સરળ છે. તે બેસીને પણ કરી શકાય. શવાસન સફળ રીતે કરવા માટે સૌ પ્રથમ આપણું બધું ધ્યાન શરીર ઉપર કેન્દ્રિત કરવાનું હોય છે. આ સમયે બીજા વિચારો આવે તે સ્વાભાવિક છે, પણ તે નકાર્યા વિના વિચારો ઉપર ધ્યાન ન આપતાં શરીર ઉપર ધ્યાન આપવું. વિચારો ઉપર ધ્યાન નહીં આપો તો તે આપોઆપ શમી જશે. તે પછી શ્વાસ સાથે એકરૂપ થતાં શવાસનના લાભ મળવા શરૂ થઈ જાય છે.
શવાસન માટે જમીન પર ચત્તા સૂઈ જાઓ. પગના બે પંજા વચ્ચે એકાદ ફૂટ જેટલું અંતર રાખો. બંને હાથ શરીરથી થોડા દૂર રાખી હથેળી આકાશ તરફ અને મુઠ્ઠી અડધી વાળેલી રાખો. વધુ શિથિલીકરણ માટે નીચે જણાવેલ અંગોને વારાફરતી ખેંચી એ ખેંચાતાં અંગો પર ધ્યાન લાવી, ખેંચાણનો અનુભવ કરી ઢીલાં મૂકતા જાઓ. દરેક ક્રિયા ઉતાવળ કર્યા વગર કે જોર કર્યા વગર બબ્બે વખત લયબદ્ધ રીતે કરો.
૧. બંને પગના પંજાને આગળની તરફ ખેંચી ઢીલા છોડી દો.
૨. ડાબા પગનાં આંગળાથી ઠેઠ થાપા સુધી સ્નાયુઓને ખેંચી ઢીલા છોડી દો. આ પ્રમાણે જમણા પગને પણ બે વખત કરો.
૩. કમર નીચેના અને થાપાના સ્નાયુઓનું સંકુચન કરી ઢીલા છોડી દો.
૪. ફેફસામાં હવા ભરી છાતીના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી, તેને શિથિલ કરો.
૫. બંને હાથની મુઠ્ઠીઓ વાળી પંજાથી ખભા સુધીના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી શિથિલ કરો.
૬. ગરદનને ડાબેથી જમણે અને જમણેથી ડાબે લઈ જઈ, જે સ્થિતિમાં ફાવે તેમ ગરદનને રહેવા દો.
૭. જડબાને ધીરેથી પૂરેપૂરું ખોલો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલું છોડી દો. દાંત ભીંસાય નહીં તે પ્રમાણે જડબું હળવેથી બંધ થવા દો.
૮. આંખો ધીરેથી ખોલો, પૂરી ખોલો, ભ્રમર અને કપાળના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલા છોડી દો. આંખોને હળવેથી બંધ થવા દો.
આમ આખા શરીરને શિથિલ કર્યા બાદ શરીરને ભૂલી શિથિલ અવસ્થામાં પડ્યા રહો. અહીં તમારું મન પણ શાંત થઈ ગયું છે. ખાસ ખ્યાલ રાખો કે શ્વાસ જેમ ચાલે છે તેમ ચાલવા દો. તેની ગતિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તેને માત્ર જોયા કરો. એક પણ શ્વાસ તમારા ખ્યાલ વિના ન અંદર જાય કે ન બહાર આવે તેની તકેદારી રાખો.
એવું બને કે ચિત્ત શ્વાસોચ્છવાસ ઉપરથી ખસી અન્ય વિચારોમાં સરકી જાય, તેનો ખ્યાલ આવે કે તરત તેને હળવેથી પાછું શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં જોડી દો. શરીરના પ્રત્યેક સ્નાયુ શિથિલ થતાં, શ્વાસ સાથે એકરૂપ બનતાં, શ્વસન પોતાની મેળે ઉદરીય બને છે. ઉદરીય શ્વસન શિથિલીકરણને વધુ ઊંડું બનાવે છે. આવી પ્રગાઢ શાંતિની સ્થિતિમાં થોડી મિનિટ પડ્યા રહો. આ શવાસન છે. મન શાંત અને શ્વાસ સાથે એકાગ્ર છે. આ પરમ શાંતિ અને આનંદની, ચેતનાની અનુભુતિની ક્ષણો છે. આ ક્ષણે કેટલીક વિશિષ્ટ ઘટનાઓ ઘટે છે.
તમે તમારું ધ્યાન જ્યારથી એક પછી એક ખેંચાતા અને શિથિલ થતાં સ્નાયુઓ ઉપર લઈ જાઓ છો ત્યારથી શવાસનની શરૂઆત થાય છે અને શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી તે સંપૂર્ણ થાય છે. શવાસનમાંથી બહાર આવવા એક-બે ઊંડા શ્વાસ લઈ હળવેથી હાથપગ હલાવી પડખું ફરી બેઠા થાઓ.
શવાસનમાં વિશિષ્ટ શું બને છે?
૧. વ્યક્તિનો તનાવ પ્રત્યે પ્રતિભાવ બદલાય છે. વ્યક્તિના વિચારો, વૃત્તિઓ, ભાવનાઓમાં પરિવર્તન આવે છે. ક્રોધ, વેરભાવ શમે છે.
૨. શવાસનમાં વર્તમાનમાં રહેવાનો મહાવરો થાય છે.
૩. શવાસન દરમિયાન વ્યક્તિને પોતાની સાચી ઓળખ થાય છે અને અહેસાસ થાય છે કે જે શાશ્વત અને અવિનાશી છે તે પોતે જ છે, તેને મૃત્યુનો ભય ક્યાંથી હોય!
૪. શવાસન દરમિયાન શરીરને નિષ્પ્રાણ જેવું બનાવવાનો અનુભવ થતો હોવાથી પણ મૃત્યુનો ડર ઘટી જાય છે.
૫. શવાસનમાં વ્યક્તિ પોતાની આકાંક્ષાઓનું મનોપટ પર ચિત્ર ખડું કરી તે ફળીભૂત થાય તો કેવો આનંદ થાય તે અનુભૂતિ જો વારંવાર કરે તો એ આકાંક્ષાઓ ફળીભૂત થવામાં સહાય થાય.
૬. શવાસન દરમિયાન ધ્યાન વખતે વ્યક્તિ પોતા માટે, સહુ માટે, પોતાના પ્રતિસ્પર્ધી કે વિરોધી માટે પણ પ્રેમ અને કરુણાથી ભરપૂર શુભ ભાવના રાખે તો તે અન્યોને કલ્યાણકારી નીવડે તે કરતાં વધુ, વ્યક્તિને પોતાને શ્રેયકર નીવડે છે.
૭. આ ક્ષણ માનવીય ગુણોમાં પરિવર્તન માટે ટર્નિંગ પૉઈન્ટ બની રહે છે.
શીઘ્ર શવાસન
શરીરનાં બધાં અંગો વારાફરતી ખેંચી શિથિલ કરી શવાસન કરવા માટે સમય ન હોય તો શીઘ્ર શવાસન કરીને શવાસનનો લાભ લઈ શકાય.
આરામથી ચત્તા સૂઈ શરીર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હાથ, પગ અને ધડના સ્નાયુઓને એક સાથે ખેંચી, સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવી જાઓ. ફરી એ પ્રમાણે કરો. થોડી મિનિટ શિથિલ અવસ્થામાં શ્વાસ સાથે એકાગ્ર થઈ પડ્યા રહો. પછી એક-બે ઊંડા શ્વાસ લઈ હળવેથી હાથપગ હલાવી પડખું ફરી બેઠા થાઓ

કુદરતી સંપત્તિમાં



મેકઓવર - શહેનાઝ હુસેન
આપણી કુદરતી સંપત્તિમાં ઔષધીય ગુણોનો વિશાળ ખજાનો ભરેલો છે. ફળો પણ એમાંનાં એક છે. ફળો ખાવાથી જે રીતે શરીરને સમતોલ અને પોષણયુક્ત આહાર મળી રહે છે તે જ રીતે ફળોને ત્વચા પર લગાવવાથી પણ ત્વચાને પોષણ મળે છે અને ત્વચા નિખરી ઊઠે છે. તો ચાલો જાણીએ કે કયાં કયાં ફ્રૂટસ ત્વચા પર લગાવવાથી ત્વચા ખીલે છે
કેળાં
કેળાં એ ત્વચાને પૂરતું પોષણ પૂરું પાડતું ફળ છે. કેળાંમાં વિટામિન બી, સી અને પોટેશ્યમ હોય છે જેનાથી સ્કિન સોફ્ટ અને ટાઇટ રહે છે. કેળાંનો પલ્પ કાઢીને તેને ફેસ પેક સાથે મિક્સ કરીને લગાવવાથી સ્કિન લચી પડતી નથી અને તેની સોફ્ટનેસ જળવાઈ રહે છે.
સફરજન
સફરજન પણ અદ્ભુત સ્કિન ટોનર છે.તે ઢીલી પડી ગયેલી સ્કિનને ટાઇટ રાખવામાં અને બ્લડ સરક્યુલેશનમાં મદદ કરે છે. સફરજન દરેક રીતે લાભકારી જ હોવાથી તેના પલ્પને કે જ્યૂસને દરરોજ ચહેરા પર લગાવી શકાય છે. પપૈયું પણ ત્વચા માટે અનેક રીતે ઉપયોગી છે. પપૈયાના પલ્પને ચહેરા પર લગાવવાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે તેમજ નિયમિત લગાવવાથી સ્કિનનો કલર પણ નિખરે છે. પપૈયાના પલ્પમાં દહીં, મધ, થૂલું મિક્સ કરીને આ ફેસપેક ચહેરા પર લગાવવાથી સારું રિઝલ્ટ મળે છે.
કેરી
કેરી વિટામિન એ અને સીથી ભરપૂર છે. તે ત્વચાને સુંદર બનાવી તેનો કાયાકલ્પ કરવામાં મદદ કરે છે. ઉંમર વધતા ચહેરા પર થતી કરચલીને તે રોકે છે. કેરીના પલ્પનો ચહેરા પર ઉપયોગ કરવાથી સ્કિન સોફ્ટ અને સ્મૂધ રહે છે.
સંતરાં
સંતરાંમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. સંતરાંની છાલ, રસ, પલ્પ વગેરે સૌંદર્યવર્ધક છે. સંતરાંની છાલને સૂકવીને તેનો પાઉડર ફ્રૂટસના પલ્પમાં મિક્સ કરીને સ્ક્રબ કરવાથી ત્વચા ક્લીન થવાની સાથે ચમકીલી બને છે.
દાડમ
દાડમનો રસ ત્વચા માટે બહુ લાભકારી છે. તે સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. ઉંમર મોટી થતા ચહેરા પર કરચલી પડવી, ત્વચા લચી પડવી વગેરે સમસ્યા શરૂ થઇ જાય છે. દાડમ આ અસરને ઓછી કરે છે અને ત્વચાને યંગ રાખવામાં મદદ કરે છે. દાડમના રસને નિયમિત ચહેરા પર લગાવવાથી ચહેરાની કાળાશ દૂર થાય છે અને ત્વચા ચમકીલી બને છે.
તરબૂચ
સૂકી ત્વચા માટે તરબૂચ ઉત્તમ ટોનર છે તે ત્વચાને મોઇશ્ચરાઇઝિંગ કરવામાં મદદ કરે છે. તરબૂચનો રસ અથવા પલ્પ ચહેરા પર લગાવવાથી
સૂકી ત્વચા વધુ સોફ્ટ અને સ્મૂધ બને છે.  

શુક્રવાર, 15 જૂન, 2012

ખેતી વીછે,

ત્વચાની રંગત નિખારતાં ફળો


મેકઓવર - શહેનાઝ હુસેન
આપણી કુદરતી સંપત્તિમાં ઔષધીય ગુણોનો વિશાળ ખજાનો ભરેલો છે. ફળો પણ એમાંનાં એક છે. ફળો ખાવાથી જે રીતે શરીરને સમતોલ અને પોષણયુક્ત આહાર મળી રહે છે તે જ રીતે ફળોને ત્વચા પર લગાવવાથી પણ ત્વચાને પોષણ મળે છે અને ત્વચા નિખરી ઊઠે છે. તો ચાલો જાણીએ કે કયાં કયાં ફ્રૂટસ ત્વચા પર લગાવવાથી ત્વચા ખીલે છે
કેળાં
કેળાં એ ત્વચાને પૂરતું પોષણ પૂરું પાડતું ફળ છે. કેળાંમાં વિટામિન બી, સી અને પોટેશ્યમ હોય છે જેનાથી સ્કિન સોફ્ટ અને ટાઇટ રહે છે. કેળાંનો પલ્પ કાઢીને તેને ફેસ પેક સાથે મિક્સ કરીને લગાવવાથી સ્કિન લચી પડતી નથી અને તેની સોફ્ટનેસ જળવાઈ રહે છે.
સફરજન
સફરજન પણ અદ્ભુત સ્કિન ટોનર છે.તે ઢીલી પડી ગયેલી સ્કિનને ટાઇટ રાખવામાં અને બ્લડ સરક્યુલેશનમાં મદદ કરે છે. સફરજન દરેક રીતે લાભકારી જ હોવાથી તેના પલ્પને કે જ્યૂસને દરરોજ ચહેરા પર લગાવી શકાય છે. પપૈયું પણ ત્વચા માટે અનેક રીતે ઉપયોગી છે. પપૈયાના પલ્પને ચહેરા પર લગાવવાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે તેમજ નિયમિત લગાવવાથી સ્કિનનો કલર પણ નિખરે છે. પપૈયાના પલ્પમાં દહીં, મધ, થૂલું મિક્સ કરીને આ ફેસપેક ચહેરા પર લગાવવાથી સારું રિઝલ્ટ મળે છે.
કેરી
કેરી વિટામિન એ અને સીથી ભરપૂર છે. તે ત્વચાને સુંદર બનાવી તેનો કાયાકલ્પ કરવામાં મદદ કરે છે. ઉંમર વધતા ચહેરા પર થતી કરચલીને તે રોકે છે. કેરીના પલ્પનો ચહેરા પર ઉપયોગ કરવાથી સ્કિન સોફ્ટ અને સ્મૂધ રહે છે.
સંતરાં
સંતરાંમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. સંતરાંની છાલ, રસ, પલ્પ વગેરે સૌંદર્યવર્ધક છે. સંતરાંની છાલને સૂકવીને તેનો પાઉડર ફ્રૂટસના પલ્પમાં મિક્સ કરીને સ્ક્રબ કરવાથી ત્વચા ક્લીન થવાની સાથે ચમકીલી બને છે.
દાડમ
દાડમનો રસ ત્વચા માટે બહુ લાભકારી છે. તે સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. ઉંમર મોટી થતા ચહેરા પર કરચલી પડવી, ત્વચા લચી પડવી વગેરે સમસ્યા શરૂ થઇ જાય છે. દાડમ આ અસરને ઓછી કરે છે અને ત્વચાને યંગ રાખવામાં મદદ કરે છે. દાડમના રસને નિયમિત ચહેરા પર લગાવવાથી ચહેરાની કાળાશ દૂર થાય છે અને ત્વચા ચમકીલી બને છે.
તરબૂચ
સૂકી ત્વચા માટે તરબૂચ ઉત્તમ ટોનર છે તે ત્વચાને મોઇશ્ચરાઇઝિંગ કરવામાં મદદ કરે છે. તરબૂચનો રસ અથવા પલ્પ ચહેરા પર લગાવવાથી
સૂકી ત્વચા વધુ સોફ્ટ અને સ્મૂધ બને છે.  
 

ગુરુવાર, 14 જૂન, 2012

ફળો અને શાકભાજીના રસ પીઓ અને તંદુરસ્ત રહો




વૈજ્ઞાનિક સંશોધનોથી એવું નક્કી થયું છે કે જ્યારે દવાઓ અને ઈન્જેકશન તમારા રોગને મટાડવામાં નિષ્ફળ જાય ત્યારે કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગને દૂર કરવાનો અકસીર ઉપાય છે. કારણકે ૧. રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. ૨. શરીરના દરેક અંગોના કોષોમાં ભરાએલા દુષિત પદાર્થો (ટોક્સીક એલીમેન્ટ)ને દૂર કરે છે. ૩. રોજના ૮થી ૧૦ ગ્લાસ પાણી ઉપરાંત બેથી ત્રણ ગ્લાસ કાચાં શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની વધારે કાર્યક્ષમ થાય છે. ૪. રોગને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષો રસ પીવાથી નવા બને છે.
ફળ અને શાકભાજીના રસ લેતા પહેલાં શું ઘ્યાન રાખવું જોઇએ ?
૧. ફળ હોય કે શાકભાજી તેનો ઉપયોગ કરતાં પહેલાં સાધારણ ગરમ પાણીમાં ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખવા જોઇએ, જેથી તેની ઉપર લાગેલો કચરો, માટી અને જંતુનાશક દ્રવ્યો દૂર થઇ જાય.
૨. ફળ હોય કે શાકભાજી તાજાં વાપરવા જોઇએ. વધારે પાકી ગએલાં, ગંધ મારતાં અને કાળા પડી ગએલાં ફળો ના ખવાય. આ જ રીતે શાકભાજી પણ દેખાવમાં વાસી લાગે તે વપરાય નહીં.
૩. રસ કાઢવાનું મશીન બરોબર ધોઇને વાપરવું જોઇએ.
૪. જ્યાં શક્ય હોય ત્યાં રસ ગાળ્યા વગર પીવો જોઇએ.
૫. ફળોનો કે શાકભાજીનો રસ તાજો જ પીવો જોઇએ. ડીપ ફ્રીજમાં રાખેલો રસ અથવા કાઢ્‌યા પછી ખુલ્લા વાસણમાં ચાર પાંચ કલાક પડ્યો રહ્યો હોય તેવો રસ પીવો ના જોઇએ.
૬. રસમાં પ્રીઝર્વેટીવ નાખ્યા હોય તેવો બજારમાં મળતો રસ અને સ્વીટનર કે બીજું નાખેલ હોય તે રસ પીવો જોઇએ નહી.
રસ કેવી રીતે પીશો?
૧. પાણી પીએ તેવી રીતે ગ્લાસમાંથી રસ ગટગટાવી ના જશો. એક એક ચમચો લઇ મોંમાં રાખી તેની અસરથી લાળ નીકળે માટે એક મિનિટ માટે રસ મોંમાં મમળાવો (ગોળ ગોળ ફેરવો). પછી ગળા નીચે ઉતારો. લાળમાં પાચક રસો હોય અને જંતુધ્ન ગુણ હોય. રસમાં રહેલી સાકર (કોમ્પલેક્ષ કાર્બોહાઇડ્રેટ્‌સ)નું પાચક રસોથી પાચન અને રસમાં જાણે-અજાણે રહેલા બેકટેરીઆ કે વાયરસ નાશ પામે.
૨. જો તમે તમારો રોગ દૂર કરવા અથવા તંદુરસ્ત રહેવા માટે ફળનો કે શાકભાજીનો રસ પીતા હો તો તેમાં ખાંડ, મરી કે મીઠું તેને સ્વાદિષ્ટ બનાવવા કદાપિ નાખશો નહીં. કારણ એવું કરવાથી જાણે અજાણે તમારા શરીરમાં બિનજરૂરી ખાંડ અને મીઠું જશે એ બરોબર નથી. તમને શાકભાજીનો રસ સ્વાદમાં સારો ના લાગતો હોય તો લીંબુ નિચોવી સ્વાદિષ્ટ બનાવી પીશો.
૩. તમે રસનો પ્રયોગ તંદુરસ્ત રહેવા કરવાના હો અને બીજું કશું ખોરાક તરીકે લેવાના હો નહીં તો રેજ સવારે બેથી ત્રણ લીટર જેટલો શાકભાજી અને ફળનો રસ લેવો જોઇએ.
૪. જો તમે આદુ, ડુંગળી, લીલી હળદરનો રસ રોગ મટાડવા માટે પીવા માગતા હો તો તેનું પ્રમાણ ફક્ત ૨૦થી ૨૫ મી.લી. રાખશો. જો લસણનો રસ લેવાના હો તો એક ચમચાથી વધારે લેશો નહીં.
૫. તમને ફક્ત રસ ઉપર રહેવાનું ફાવતું ન હોય તો વચ્ચે વચ્ચે કાચો કે રાંધેલો ખોરાક લઇ શકશો.
જુદા જુદા રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસનો ઉપયોગ
૧. સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે.
૨. કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.
૩. કોબીજનો રસ પીવાથી એસીડીટી દૂર થાય છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.
૪. ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે એટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે છે.
૫. કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે.
૬. આમળાનો રસ વીર્યની વૃઘ્ધિ કરે છે.
૭. ચોળીની શંિગથી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે.
૮. લસણનો રસ પીવાથી શરીર જકડાઇ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે.
૯. આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.
૧૦. કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે.
૧૧. જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે.
૧૨. લીંબુનો રસ આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે.
૧૩. તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે.
૧૪. સફેદ ડુંગળીના રસમાં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે.
૧૫. નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જીક કફ- દમમાં રાહત આપે છે.
૧૬. પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે.
૧૭. પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે.
૧૮. ટમેટાના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે.
૧૯. લીલા પાંદડાંવાળી મેથી- તાંદળજાની ભાજીમાં આયર્ન છે, જેથી લોહી સુધરે છે. એસીડીટી મટાડે છે.
૨૦. કોથમીરનો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.
૨૧. તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે.
૨૨. પાલખનો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.
૨૩. ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.
૨૪. કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે.
૨૫. દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.
૨૬. ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.
૨૭. બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.
૨૮. લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.
૨૯. કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.
૩૦. જાંબુના રસમાં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.
૩૧. મૂળા અને મૂળાની ભાજી ઃ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.
રસાહારથી શરીરને ચોખ્ખું કેવી રીતે કરશો ?
મહિનામાં એક શનિ-રવિ આ કાર્યક્રમ અમલમાં મૂકો.
૧. શનિ અને રવિ બન્ને દિવસે ફક્ત પાણી અને પસંદગીના ફળ કે શાકભાજીનો જ ઉપયોગ કરો.
૨. શારીરિક પ્રવૃત્તિ એકદમ ઓછી કરી નાખો.
૩. કોઇપણ જાતનો ખોરાક લેવાનો નથી.
૪. શનિવારે જ્યારે ભૂખ લાગે ત્યારે ફક્ત રસ પીવાનો રાખો.
૫. રવિવારે થોડી સ્ફૂર્તિ લાગશે.
૬. આ જ પ્રમાણે રવિવારે પણ રસાહાર કરો.
સોમવારે તમે પથારીમાંથી ઉઠશો ત્યારે સ્ફૂર્તિ લાગશે અને આખું અઠવાડિયું સરસ જશે.
આમ થવાનાં કારણો
શારીરિક પ્રવૃત્તિ ના હોય એટલે શક્તિ બચે. ખોરાકમાં જલદી પાચન થાય તેવા રસ લીધા હોય એટલે શક્તિ બચે. આ વધેલી શક્તિ તમારી હોજરી, આંતરડાં અને કિડનીને મળે એટલે શરીરમાંથી બધો જ કચરો નીકળી જાય. આને ઓફિસકામના ‘બેક લોગ’ને જેમ શનિ-રવિવારે તમે બઘું ફાઇલોનું કામ કરી નાખો અને સોમવારે ફ્રી થઇ જાઓ તેની સાથે સરખાવી શકાય.
રસાહારનો પ્રયોગ આ રીતે શરીર ચોખ્ખું કરવા અને રોગમુક્તિ માટે કરવા જેવો ખરો.

હળદરનો પ્રાચીન પ્રયોગઃ

       પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં માન્યું છે કે ડાયાબિટીસના રોગીઓ માટે હળદરનો ઉપયોગ સંજીવની જેમ કામ કરે છે. હળદરનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી મધુમેહનો રોગ સારો થઈ જાય છે. હળદર એક ફાયદાકારક ઔષધી છે. હળદર કોઈપણ ઉંમરના વ્યક્તિને આપી શકાય છે. પછી તે બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ અને ત્યાં સુધી કે ગર્ભવતી મહિલાઓને પણ આપી શકાય.

હળદરમાં પ્રોટીન, વસા, ખીનજ પદાર્થો, રેશા, ફાઈબર, મેંગનીઝ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, ફોસ્ફોરસ, લોખંડ, ઓમેગા, વિટામીન એ, બી, સીના સ્ત્રોત તથા કેલેરી પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે મધુમેહને રોકવા માટે હળદર સૌથી સારો ઈલાજ છે. રોજ અડધી ચમચી હળદર લઈ ડાયાબિટિસને કંટ્રોલ કરી શકાય છે.

-મધુમેહના રોગીઓએ રોજ તાજા આમળાનો રસ કે સૂકાયેલા આમળાના ચૂરણમાં હળદરનું ચૂર્ણ મેળવી સેવન કરવાથી ખૂબ જ લાભ થાય છે.

-આમળાના રસમાં હળદર અને મધ મેળવી સેવન કરવાથી પણ ડાયાબિટિસના રોગીઓને ફાયદો મળે છે.

બીલીપત્રનો આ ઉપાય કરી દેશે તમારા સોલ્યૂશન સરળ


 
    શિવનકાલના નિયંત્રક દેવતામાનવામાં આવે છે. આ માટે સાંસારિક દ્રષ્ટિથી મૃત્યુ હોય કે ખરાબ સમયે શિવની નિયમિત ભક્તિથી ટળી જાય છે. આ કડીમાં શિવ ભક્તિનો વિશેષ કાળ સોમવાર પર ભગવાન શિવની ઉપાસના તમામ ભૌતિક સુખોની કામનાઓની પૂર્તિ કરનાર માનવામાં આવે છે.

- શિવ આરાધનાથી એવી ઈચ્છાઓ પૂરી કરવાના ઉપાય પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. આ પૂજા ઉપાયોમાં એક છે - શિવ ઉપાસનામાં બિલ્વપત્રને ચઢાવવા. ધાર્મિક માન્યતા છે કે સોમવારના શિવને ખાસ રીતથી ત્રણ પાન વાળા બિલ્વપત્ર ચઢાવવા ન કેવળ પાપનો નાશ કરે છે, પણ પાપનો નાશ થવાથી ઘરમાં ધનલક્ષ્મી આવે છે, જે બધા કાર્યઅને મનોરથ સિદ્ધ કરી દે છે.

- જો આપ પણ એવી સુખદ કામના કરે છે તો સોમવારના શિવ પૂજામાં નીચે જણાવાવેલ પૂજા વિધિ તથા મંત્રથી બિલ્વપત્રને અર્પણ શિવને કરો.

- શિવાલયમાં જઈને શિવ પર જળ કે દૂધની ધારા સમર્પિત કરો.

- પંચોપચાર પૂજામાં ચંદન, ચોખા પછી ત્રણ પાન પૂર્ણ હોય તેવા 11, 21, 51 કે શ્રદ્ધા અનુસાર વધારેમાં વધારે બિલ્વપત્ર શિવલિંગ પર આ મંત્રને બોલતા ચઢાવવા –

त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम्। त्रिजन्म पापसंहारंमेकबिल्वं शिवार्पणम।।

- પૂજા, નૈવેદ્ય તથા બિલ્વપત્ર અર્પણ પછી શિવમંત્ર જપ, સ્તુતિ કરી શિવ આરતી કરો.

- અંતમાં શિવથી સુખદ અને નિરોગી જીવનની કામના કરો.