Translate

સોમવાર, 26 સપ્ટેમ્બર, 2011

સૂર્ય પૂજામાં પ્રગટાવો આ 4 પ્રકારના દીવા, નસીબ ખુલી જશે


 
શાસ્ત્રોમાં સૂર્ય પૂજા ભાગ્ય, રોગ અને શત્રુ બાધાને પણ દુર કરનારી માનવામાં આવી છે.ખાસ કરીને જો સાતમની સાથે રવિવારે સૂર્ય પૂજામાં આ બતાવેલા વિશેષ ઉપાયો સમસ્યાઓને દુર કરવામાં બહુ પ્રભાવશાળી માનવામાં આવે છે.

આ કડીમાં એક ઉપાય છે – સૂર્ય દેવતાની સામે ચાર પ્રકારનાં તેલનાં અલગ-અલગ દીવો સળગાવી વિશેષ મંત્રનું સ્મરણ કરવું.

જાણીએ કયા છે આ ચાર પ્રકારનાં તેલ અને તેમના ફળ

- સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પ્રતિમાની ગંધ, ફૂલ, નૈવૈધ લગાડીને ધુપ અને દીવાથી પંચોપચાર પૂજા કરો.

- આ પૂજામાં ચાર પ્રકારનાં તેલનાં દીવા લગાડો

ઘી નો દીવો – આંખોની બીમારી થતી નથી.મહુવાનું તેલ – સૌભાગ્ય પ્રાપ્તિ

તલનું તેલનો દીવો – સંકટ અને પીડા નાશક

કોઇ પણ કડવું તેલ – શત્રુ પરાજિત થાય છે

- દીવો પ્રગટાવીને નીચે લખેલા સૂર્ય મંત્રનું સ્મરણ કરો.

नमो धात्रे विधात्रे च अर्यम्णे वरुणाय च।

पूष्णे भगाय मित्राय पर्जन्यायांशवे नम:।।

પૂજા અને મંત્ર ધ્યાન બાદ સૂર્ય આરતી કરો અને તે ગ્રહણ કરો, સુખ-સૌભાગ્ય મળે અને શત્રુ – રોગથી છુટકારો મળે તેવી કામના કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો