Translate

શનિવાર, 3 માર્ચ, 2012

સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક, પેપ્સી



સોફ્ટ ડ્રિંક, કોલ્ડ ડ્રિંક, પેપ્સી, કોક, મિરિંડા.. આ શબ્દ આપણા બાળકોના જીવનમાં સામાન્ય થતા જઈ રહ્યા છે. ટીવી પર બતાવવામાં આવતી જાહેરાતો દ્વારા આકર્ષીને આ ડ્રિંકસ આપણા અને આપણા બાળકોની જીંદગીમા લગભગ વણાઈ ગઈ છે. આપણે ક્યારેક એવુ સમજીએ છીએ કે આ ડ્રિંક્સ આપણા બાળકોમા એકદમ ઉર્જા ભરી દેશે. તો ક્યારેક આપણે આને સ્ટેટસ સિંબલ માનીને આપણા બાળકોને પીવાથી રોકતા નથી અથવા તો આપણે જ તેમને પ્રેરિત કરીએ છીએ. શુ આપણે ક્યારેય એ વિચારીએ છીએ કે આપણા આ પસંદગીના પીણા આપણા સ્વાસ્થય પર શુ અસર કરે છે. આવો જાણીએ હકીકત.

શુ છે આ સોફ્ટ ડ્રિંક ?

સોફ્ટ ડ્રિંક્સ નોન આલ્કોહોલિક ડ્રિંક્સ હોય છે અર્થાત તેમા આલ્કોહોલ નથી હોતુ. તેથી તે સોફ્ટ હોય છે. સોફ્ટ ડ્રિંક્સમાં કોલા, ફ્લેવર્ડ, વોટર, સોડાપાણી, લીંબૂ પાણી(જો સોડામાં હોય તો)આઈસ્ટ ટી વગેરે આવે છે. જેમા દૂધ અથવા દૂધથી બનેલા પદાર્થનો સમાવેશ નથી. હોટ ચોકલેટ, હોટ કોફી, મિલ્સ શેકનો તેમા સમાવેશ નથી.

શુ હોય છે કોર્બોનેટેડ ડ્રિંક્સ ?

સોફ્ટ ડ્રિંક્સ જેની અંદર ગેસ(કાર્બન ડાયોક્સાઈડ) હોય છે તે કોર્બોનેટેડ ડ્રિંક્સ કહેવાય છે. તેમા બધા પ્રકારના સોડા, કોક, કોલા પેપ્સી વગેરેનો સમાવેશ છે.

શુ કરે છે સોફ્ટ ડ્રિંક આપણા શરીરમાં ?

સોફ્ટ ડ્રિંકમાં મુખ્યત્વે બે પ્રકારના તત્વો વધુ છે - 1)શુગર, 2) ફોસ્ફોરસ.

આ જ બે વસ્તુઓની અધિક માત્રા આને શરીર માટે નુકશાનદાયક સાબિત કરે છે.

- સોફ્ટ ડ્રિંક્સ જંક ફૂડની કેટેગરીમાં આવે છે. જંક ફૂડ્સમાં કેલોરીઝ અને ખાંડ વધુ માત્રામાં હોય છે, પરંતુ તેમની ન્યૂટ્રીશનલ વેલ્યૂ જીરો હોય છે તેથી વધુ માત્રામાં સોફ્ટ ડ્રિંક મતલબ જાડાપણું.

- કોલ્ડ ડ્રિંક્સમાં રહેલા ખાંડ અને એસિડ બાળકોના દાંત સડવાના ઘણા કારાણોમાંથી એક કારણ સામે આવ્યુ છે. આ ડ્રિંક્સમાં રહેલા એસિડ દાંતોના રક્ષા કવચને ધીરે ધીરે ખાવા માંડે છે.

- કોલ્ડ ડ્રિંક્સમાં રહેલ ગેસ(કાર્બન ડાયોક્સાઈડ)ને કારણે બાળકોના હાંડકામાંથી કેલ્શિયમ બહાર આવે છે. જેના કારણે તેમના હાડકાં નબળા પડે છે. આ ડ્રિંક્સમાં રહેલ વધુ માત્રામાં ફોસ્ફરસ પણ કેલ્શિયમને હાડકાંમાંથી બહાર કાઢે છે.

- તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે પણ કોલ્ડ ડ્રિંક્સમાં કેફીન(કોફી ચા) નુ મુખ્ય તત્વ હોય છે જેને કારણે બાળકોને માથાનો દુ:ખાવો, ઉંધ આવવી, ચિડાચિડાપણું વગેરે તકલીફો ઉભી થઈ શકે છે

શુક્રવાર, 2 માર્ચ, 2012

જાણો છો ભગવાનના વાહન પશુ જ કેમ હોય છે

શિવના નંદીથી લઇને,અંબે માતાના સિંહ અને વિષ્ણુના ગરુડથી લઇ ઇંદ્રના ઐરાવતના હાથી સુધી લગભગ બધા દેવ-દેવતાઓ પશુઓ પર સવાર છે.
-સર્વશક્તિશાળી ભગવાનને પશુઓની સવારીની આવશ્યકતા કેમ પડી?


તમે કોઇપણ મંદિરમાં જાવ કે કોઇપણ ભગવાનને જોશો તો સામાન્ય રૂપે તેમનાથી જોડાયેલી એક વસ્તુ તમને સરખુ જણાશે તે છે તેમના વાહન.લગભગ દરેક ભગવાનના વાહન પશુઓને જ માનવામાં આવે છે.શિવના નંદીથી લઇને,અંબે માતાના સિંહ અને વિષ્ણુના ગરુડથી લઇ ઇંદ્રના ઐરાવતના હાથી સુધી લગભગ બધા દેવ-દેવતાઓ પશુઓ પર સવાર છે.

સર્વશક્તિશાળી ભગવાનને પશુઓની સવારીની આવશ્યકતા કેમ પડી? દરેક ભગવાન કેમ કોઇપણ પશુ સાથે સંકળાયેલા છે.

ભગવાનની સાથે જાનવરોને જોડવાનાં કારણો ઘણા છે.જેમાં આધ્યાત્મિક,વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણોથી ભગવાન વાહનોના રૂપે પશુઓ સાથે જોડાયેલા છે.

વાસ્તવમાં દેવતાઓની સાથે તેમના વ્યવ્હારના અનુરૂપ વાહનો જોડવામાં આવ્યા છે.

જેવી રીતે શિવ ભોળા,સીધા ચાલવાવાળા પણ ભયંકર ક્રોધ કરવાવાળા દેવતા છે તો તેમનું વાહન નંદી છે.દુર્ગા તેજ,શક્તિ અને સામર્થ્યનું પ્રતીક છે તો તેની સાથે સિંહ છે.એવી જ રીતે બાકીના દેવી દેવતાઓની સાથે પણ પશુઓને એમના વ્યવહાર અને સ્વભાવથી જોડવામાં આવ્યા છે.બીજું સૌથી મોટું કારણ છે પ્રકૃતિની રક્ષા.જો પશુઓને ભગવાન સાથે ના જોડવામાં આવ્યા હોતતો તેમની સાથે હિંસાનો વ્યવહાર વધુ જોવા મળતો.

દરેક ભગવાનની સાથે એક પશુ જોડીને આપણા ભારતીય મુનીઓએ પ્રકૃતિ અને તેમાં રહેવાવાળા જીવોની રક્ષાનો સંદેશ આપ્યો છે.

દરેક પશુ કોઇના કોઇ ભગવાનનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે તેની સાથે હિંસા ના કરવી જોઇએ.તેની પાછળ મૂળમાં આ સંદેશો છુપાયેલો છે.

કંકુના ચાંલ્લા પર આપણે ચોખા કેમ લગાડવાં જોઇએ

હિંદુ ધર્મમાં પૂજનથી જોડાયેલી અનેક પરંપરાઓ છે.

આમાથી એક પરંપરા છે પૂજન વખતે માથા પર કંકુનો ચાલ્લો લગાડી અને તેના પર ચોખા લગાડવાની અને ચોખા લગાડી પાછળ ફેંકવાની.


આ તિલક કપાળ પર નાના ચાંલ્લા રૂપે બન્ને ભ્રમરો વચ્ચેના ભાગમાં લગાડવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તિલક લગાવાથી મનને શાંતિ,તરાવટ અને શીતળતા મળે છે.

માથામાં સેરાટોનિન અને બીટાએંડોરફિન નામના રસાયણોને સંતુલન હોય છે.

મેઘા શક્તિ વધે છે અને માનસિક થાક નથી લાગતો.સાથે કંકુનો ચાંલ્લો કરવાથી ત્વચાના રોગોમાંથી મુક્તિ મળે છે.

ચોખા લગાડવાનું મુખ્ય કારણ એ છે કે ચોખાએ શુદ્ધતાનું પ્રતીક છે અને ચોખા માથા પરથી ફેંકવાનું કારણ એ છે કે ચોખા હવનમાં દેવોને ચઢાવવામાં આવે છે અને શુદ્ધ અન્ન માનવામાં આવે છે,

વળી એવી માન્યતા પણ છે કે કાચા ચોખા સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે.

આ કારણથી કંકુના ચાંલ્લા પર ચોખા ચઢાવવામાં આવે છે સાથે પાછળ એટલા માટે ફેંકવામાં આવે છે કે આપણી આસપાસ રહેલી નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત કરી શકાય

અને આપણે સકારાત્મક વિચારોથી જીવીએ અને નકારાત્મક વિચારો આપણી પાસે પણ ના આવે

છઠ્ઠી મેના દિવસે ‘મંત્રાત્મક’ ધ્યાનથી મેળવો અઢળક ધન

6 મે અખાત્રીજનો દુર્લભ યોગ સર્જાઈ રહ્યો છે. આ એવો યોગ છે જેમાં કરવામાં આવતી બધી સાધનાઓ સફળ થવાની સંભાવનાઓ ખૂબ જ હોય છે. એવી વખતે આપણે આપણી આર્થિક નબળાઈ દૂર કરવાના મહત્વપૂર્ણ ઉપાય કરવા જોઈએ.

આપણે બધા સમયની સાથે વધતી જરૂરિયાતોને પૂરાં કરવા માટે વધુ ધન-સપંત્તિની જરૂરિયાત હોય છે. આ કારણે બધાએ ધનની દેવી મહાલક્ષ્મીની કૃપા જોઈતી હોય છે. દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ જ આપણી ધનને લગતી પરેશાનીઓ દૂર કરતા હોય છે. તેમની કૃપા માટે ધ્યાનની અજેય શક્તિ એક કારગાર ઉપાય હોઈ શકે છે. ધ્યાન માત્ર શ્રદ્ધા અને આસ્થાની જ વાત નથી, આ એક વિજ્ઞાન પણ છે. જેને આપણે અવોઇડ ન કરી શકીએ.

ધનશક્તિ છે તથા દરેક શક્તિના એક સૂક્ષ્મ દેવતા હોય છે. સમસ્ત દેવતાઓના કોષાધ્યક્ષ કુબેરદેવ એવા જ સૂક્ષ્મ દેવતા છે. નીચે આપેલી મંત્રાત્મક ધ્યાન વિધિથી કુબેરદેવ વ્યક્તિને અનુકૂળ થાય છે તથા કુબેર દેવતા પ્રસન્ન થાય ત્યારે માનવીને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થવા લાગે છે.

આ ધ્યાન સફળ બનાવવા માટે ઉપાસકે સવારે વહેલા સૂર્યોદયના સમયે પૂર્વાભિમુખ થઈ બેસવું જોઈએ. કુબેરદેવનું ધ્યાન કરવા માટે કોઈ પણ સુવિધાજનક આસન ઉપર બેસી જાઓ. હવે પ્રણાયામની ક્રિયા પૂરક એને રેચક સમ્પન્ન કરો. હવે મનને એકાગ્ર કરવા માટે નીચે આપેલ કુબેર ગાયત્રી મંત્રની સાથે ધનના દેવતા કુબેરનું ધ્યાન કરો.

धनाधिपति विद्महे, श्री वरदाय धीमही।
तन्नो कुबेरदेव प्रचोदयात्।

આ પ્રકારે કરવામાં આવતા મંત્રાત્મક ધ્યાનથી ધનના દેવતા કુબેર પ્રસન્ન થઈ જાય છે તથા સાથે જ દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થવા લાગે છે.

આ સમયે ઘરમાં ઝાડુ-પોતા ન કરશો, કેમ કે..

આપણા રોજના કાર્યોમાં સૌથી મહત્વપૂર્ણ કામ છે ઘરની સફાઈ. કહેવાય છે કે જે ઘરમાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ત્યાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. એટલે રોજ-રોજ ઘરની સફાઈ કરવી અનિવાર્ય છે.

વાસ્તુ પ્રમાણે સાંજના કે રાતના સમયે ઘરની સાફ-સફાઈ કરવા ઉપર નિષેઘ કરવામાં આવેલ છે. સવારે સફાઈ કર્યા બાદ ઘરના બધા સદસ્યોએ નહાઈ લેવું જોઈએ. જેનાથી શરીર ઉપર લાગેલ કીટાણુ-બેક્ટેરિયા સાફ થઈ જાય. કીટાણુઓથી બીમારી થવાની સંભાવના વધી જતી હોય છે.

જો રાતના સમયે સફાઈ કરવામાં આવે તો તે બધા જ કીટાણુઓ ઘરના લોકના શરીર ઉપર ચોટી જાય છે. રાતના સમયે બધા લોકો નહાતા નથી હોતા. એવી વખતે તે કિટાણુઓથી આપણા સ્વાસ્થ્ય ઉપર ખતરો રહે છે. એટલે એ ખતરાઓથી બચવા માટે રાતના સમયે સાફ-સફાઈ, ઝાડુ-પોતા કરવા ન જોઈએ.

સાથે જ શાસ્ત્રો પ્રમાણે એવી માન્યતા છે કે, સાંજના સમયે ઘરમાં પોતુ કરવાથી કે ઝાડુ લગાવવાથી ઘરમાં અલક્ષ્મી વાસ કરવા લાગે છે એટલે કે લક્ષ્મી રિસાઈ જાય છે. જે આજના દિવસ-રાત એક કરતા મહેનતુ લોકોને પોષાય નહીં. એટલે લક્ષ્મીનો વાસ ટકાવી રાખવા માટે પણ સાંજના સમયે સાફ-સફાઈમાં ધ્યાન રાખવું. વડીલો તો ત્યાં સુધી કહે છે કે, સાંજે-કે રાતના સમયે થતો કચરો ઘરની બહાર કાઢવો ન જોઈએ. એટલે તેને માત્ર એકઠો કરીને એક જગ્યાએ રાખી દેવો જોઈએ.

પોતુ કરવા માટે પાણીમાં થોડુ મીઠું નાખી દેવું જોઈએ, કારણ કે એમ કરવાથી ઘરનો વાસ્તુદોષ ઓછો થાય છે. આ પાણીથી બીમારી ફેલાવતા કીટાણુઓનો નાશ થાય છે. સાથે જ મીઠુ નકારાત્મક શક્તિઓને દૂર પણ કરે છે. ઘરના વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધી જાય છે

તો યુવતીઓ તમારી દિવાની બની જશે


સૃષ્ટિના પ્રારંભથી જ સ્ત્રીનું આકર્ષણ પુરુષો પર યથાવત બનેલું હોય છે. પ્રાચીનકાળથી જ સ્ત્રીને વશમાં કરવા માટે તેની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે પુરુષો દ્વારા દરેક પ્રકારનું જતન કરવામાં આવે છે. અનેક લોકો દ્વારા સ્ત્રીઓને વશમાં કરવા માટે મંત્રોનો સહારો લેવામાં આવે છે.મંત્ર શક્તિથી દરેક વ્યક્તિઓ પરિચિત હોય છે.

મંત્રોના પ્રભાવથી કોઈ પણ કાર્ય અસંભવ નથી બનતું. મંત્ર સિદ્ધિ થયા બાદ દરેક કાર્ય પળવારમાં જ પૂર્ણ થઈ જાય છે. રાવણ સંહિતા અનુસાર એવો જ એક મંત્ર છે જેને ભજવાથી જે યુવતીને ઈચ્છો તેને પોતાના વશમાં કરી શકાય છે.

સ્ત્રીવશીકરમ મંત્ર

ऊँ नम: कामक्षीदेवि अमुकीं मे वश्यां कुरुकुरु स्वाहा। इति विंशत्यक्षरो मंत्र:।


મંત્ર સિદ્ધિની વિધી


કોઈ પણ શુભ મુહૂર્તમાં શાંત અને એકાંત સ્થળે આ મંત્રોને સિદ્ધ કરવામાં આવે છે. તે મંત્રના 108 વાર જાપ કરવાથી મંત્રની સિધ્ધિ થાય છે. મંત્રની સિધ્ધિ થવાથી સાધકની મનોકામના પૂર્ણ થાય છે. દરેક રવિવારે કાળા ધતુરાના ફૂલ, શાખા, લતા, પત્ર અને મૂળથી તેમાં કપૂર, કુમકુમ અને ગોરેચન સરખા ભાગ નાખીને પીરસવા. આ લેપનું તિલક લગાવીને સાધક કોઈ પણ સ્ત્રીને પોતાના વશમાં કરી શકે છે.
સાવધાની - મંત્રને પૂર્ણ સાવધાની સાથે સિદ્ધ કરવા.

ગર્ભવતી સ્ત્રીને મૃતદેહ ના બતાવવો જોઇએ કારણકે..

 
આપણા ત્યાં છોકરાઓના જન્મ પુર્વે અનેક પરંપરાઓ છે જેનું ગર્ભવતી મહિલાઓએ પાલન કરવાનું હોય છે. એવી જ એક પરંપરા છે ગર્ભવતી સ્ત્રીને લાશ નહી દેખાડવાની અને જે ઘરમાં મૃત્યુ થયું હોય તે ઘરની આસપાસ પણ ના જાવું જોઇએ.
આજકાલના મોટાભાગવા લોકો આ પરંપરાનું પાલન કરતા નથી અને આ વાતને અંધવિશ્વાસમાં ખપાવી દે છે,પણ આ માન્યતા કે પરંપરા એ માત્ર માન્યતા પુરતી જ નથી એની પાછળ ઘણા કારણો છુપાયેલા છે.

એનુ મુખ્ય કારણ છે કે જે ઘરમાં મોત થઇ હોય ત્યાંનુ વાતાવરણ દુખમય હોય છે.આખો પરિવાર શોકમય હોય છે.

આવું વાતાવરણ જોઇ ગર્ભવતી મહિલાના ગર્ભમાં પાંગરી રહેલો ગર્ભ પર નકારાત્મક પ્રભાવ પડે છે.

જો કોઇ મહિલાના પ્રિયજનની મોત થઇ હોય તો તેનાથી તેને મોટો આઘાત પહોંચે છે અને એનાથી આવનાર શિશુને નુકસાન થઇ શકે છે.

આ ઉપરાંત અન્ય એક વૈજ્ઞાનિક કારણ છે કે મૃત વ્યકિતના શરીરમાં ઘણા પ્રકારના બેકટેરિયા હોય છે જેનું ખુબ ઝડપથી સંક્રમણ થાય છે.

ગર્ભવતી મહિલા શારીરિક રૂપથી વધારે મજબુત હોતી નથી એટલે આ મૃત શરીરમાંથી નીકળનારા બેકટેરિયા એને વધારે પ્રમાણમાં પ્રભાવિત કરે છે.

આનાથી આવનાર શિશુ અને માં બન્ને આ સંક્રમિત થઇ શકે છે, એટલે આપણા ત્યાં ગર્ભવતી મહિલાને મૃતદેહ બતાવવો ના જોઇએ અને જે ઘરમાં દેહાંત થયું હોય ત્યાં ના લઇ જવું જોઇએ.

દીવડાઓ હંમેશા વિષમ સંખ્યામાં કેમ પ્રગટાવવામાં આવે છે?

દીવો જ્ઞાન અને રોશનીનું પ્રતીક છે. પૂજામાં દીપકનું ખાસ મહત્વ હોય છે. સામાન્ય રીતે વિષમ સંખ્યાવાળા દીવા પ્રગટાવવાની આપણે ત્યાં પરંપરા ચાલી આવે છે. દીપ પ્રજ્વલનનો ભાવ છે. આપણે અજ્ઞાનનો અંધકાર સમાપ્ત કરી પોતાના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી પુરષાર્થ કરીએ. તેથી દીવડાઓ એક, ત્રણ, પાંચ, સાતની વિષમ સંખ્યામાં જ પ્રગટાવવામાં આવે છે. વિષમ સંખ્યામાં દીવડાઓથી વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.

દીવો સળગાવાવથી વાતાવરણ શુદ્ધ થાય છે. દીવામાં ગાયના દૂધથી બનેલ ઘીનો ઉપયોગ કરવામાં આવે તો સારું અથવા બીજા ઘી કે તેલનો ઉપયોગ પણ કરી શકાય છે. ગાયના ઘીમાં રોગાણુઓ ભગાડવાની ક્ષમતા હોય છે. આ ઘી જ્યારે દીવામાં અગ્નિના સંપર્કથી વાતાવરણને પવિત્ર બનાવી દે છે. પ્રદૂષણ દૂર થાય છે. દીવો પ્રગટાવવાથી આખા ઘરને ફાયદો મળે છે પછી તે પૂજામાં સમ્મેલિત હોય અથવા ન હોય. દીવો પ્રગટાવવાથી ઘરને પ્રદૂષણ મુક્ત બનાવવાનો આ ક્રમ છે. દીપકમાં અગ્નિનો વાસ હોય છે જે પૃથ્વી ઉપર સૂરજનું રૂપ છે.

ગર્ભવતી સ્ત્રીઓને ધર્મગ્રંથો વાંચવાની સલાહ આપવામાં આવે છે

ગર્ભવતી સ્ત્રીઓને ધર્મગ્રંથો વાંચવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ તેમના પેટમાં ઊછરી રહેલા બાળકનું જ્ઞાન વધારે છે. વિજ્ઞાન પ્રમાણે ગર્ભમાં ઊછરી રહેલ બાળક પણ વિચારે-સમજે અને બધા અવાજોને સાંભળે પણ છે. એટલા માટે નવજાત બાળકમાં સુસંસ્કારનો વિકાસ થાય એ હેતુથી ગર્ભવતી મહિલાઓને ધર્મગ્રંથ વાંચવા જોઈએ. માતાના ગર્ભમાં બાળક બહાર ઘટી રહેલી બધી ઘટનાઓ અને અવાજને માતાના કાન અને મગજ દ્વારા સારી રીતે સમજે છે.

તેનું સૌથી સારું ઉદાહરણ છે મહાભારતમાં જોવા મળે છે. મહાભારતમાં પાંડુ પુત્ર અર્જુનની પત્ની સુભદ્રા જ્યારે ગર્ભવતી હતી ત્યારે અર્જુને સુભદ્રાને યુદ્ધમાં ચક્રવ્યૂહ ભેદવાનું રહસ્ય સમજાવી રહ્યા હતા, ત્યારે સુભદ્રાના ગર્ભમાં ઊછરી રહેલા અભિમન્યુએ આ બધી જ વાત સાંભળી બતી. જ્યારે અર્જુન ચક્રવ્યૂહ ભેદવાની અડધી નીતિ બતાવી ચૂક્યા હતા તે વખતે જ સુભદ્રાએ ઊંઘ આવી ગઈ. જેના લીધે અભિમન્યુ ચક્રવ્યૂહને ભેદવાનું રહસ્ય જાણી શક્યો પરંતુ ચક્રવ્યૂહમાંથી પાછા કેવી રીતે ફરવું તે રહસ્ય ન સાંભળી શક્યો કારણ કે તેની માતા સુભદ્ર સૂઈ ગઈ હતી.

આ કારણે જ મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય દ્વારા રચિત ચક્રવ્યૂહ અભિમન્યુના વધનું કારણ બન્યું હતું. આ ઘટનાથી સિદ્ધ થાય છે કે જો ગર્ભવતી સ્ત્રીઓ પોતાના સંતાનને સુસંસ્કારી અને ગુણવાન બનાવવા માંગતી હોય તો તેમને ધર્મગ્રંથો વાંચવા જોઈએ અને સારી બાબતો જ વિચારવી જોઈએ. ગર્ભવતી મહિલાઓ જેવા વિચાર, જેવો ખોરાક, જેવો સ્વભાવ રાખશે, જે પણ જોશે કે સાંભળશે જેવા જ બધા ગુણો તેના સંતાનમાં આવી જાય છે.

આ ગ્રંથોમાં ખાસ કરીને રામના ચરિત્ર માટે રામાયણ, રામચરિતમાનસ , ભાગવદગીતા જેવા ખાસ પુસ્તકો વાચવામાં આવે છે.

કન્યાને લગ્નમાં કેમ શ્રીગણેશ આપવા ન જોઈએ?


 
લગ્ન અર્થાત્ નાચવું-ગાવું, ઉત્સાહ અને ઉંમગથી ભરેલ એક સમારોહ જેમાં બે દિલ કે બે લોકો જ નહીં પણ બે પરિવાર સંબંધોના પવિત્ર બંધનમાં બંધાઈ જાય છે. હિન્દુ પરંપરા પ્રમાણે પુત્રીઓના લગ્નમાં તેના પિયરવાળા તરફથી અનેક ઉપહાર લગ્ન નિમિત્તે પુત્રીને આપવામાં આવે છે. માતા-પિતાનું સપનુ હોય છે કે તેમની પુત્રી સાસરીમાં હંમેશા ખુશ રહે. તેને કોઈ પણ પ્રકારની કોઈ ખોટ ન પડે.

આ વિચારસરણીને કારણે જ મોટાભાગના લોકો લગ્નમાં પોતાની પુત્રીને સોના, ચાંદી કે અન્ય પ્રકારના ભગવાનની મૂર્તિઓ પણ ભેટમાં આપે છે.

આધુનિક યુગમાં ગિફ્ટના રૂપમાં સૌથી વધુ ચલણમાં છે શ્રીગણેશની મૂર્તિ, કારણ કે ગણેશજીને રિદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. એટલે ગણેશજીની મૂર્તિ આપવામાં આવે છે. પરંતુ આપણા વડીલ લોકોની આ બાબતે એવી માન્યતા છે કે પુત્રીને લગ્નમાં પિયરવાળા તરફથી ઉપહારમાં ક્યારેય પણ શ્રીગણેશજીની મૂર્તિ આપવી ન જોઈએ કારણ કે પુત્રીઓ ઘરની લક્ષ્મી હોય છે અન તેમને જો ગણેશજી ભેટ કરવામાં આવે તે રિદ્ધિ-સિદ્ધિ તેમની સાથે ચાલ્યા જાય છે કારણ કે શાસ્ત્રો પ્રમાણે એવી માન્યતા છે કે જ્યાં ગણેશજીનો નિવાસ હોય ત્યાં લક્ષ્મીજીનો નિવાસ હોય છે. એટલે પુત્રીઓના લગ્નમાં ઉપહારમાં ગણેશજી આપવા ન જોઈએ.

તમે કમ્પ્યૂટર પર કામ કરો છો...?તો સાવધાન થઈ જાઓ

દિવસે-દિવસે વધતા જતા મશીનીકરણને લીધે માનવીના શરીર ઉપર અનેક નકારાત્મક અસર પડવા લાગે છે. આ ટેક્નોલોજીના વિકાસને તો રોકી નથી શકાતો પરંતુ તેની સાથે સામંજસ્ય બેસાડીને પોતાના શરીર અને મન-મસ્તિસ્કની ખરાબ અસરોને ચોક્કસપણે રોકી શકાય છે.

મોબાઈલ કે કમ્પ્યૂટરના કી-બોર્ડનો વધુ પડતો ઉપયોગ ગંભીર સ્નાયુ બીમારી કાર્પલ ટનલ સિન્ડ્રોમ(સીટીસી)નું કારણ બની શકે છે. આ બીમારી ગર્દન, કમર, આંગળા અને કાંડા જેવા શરીરના જુદાં-જુદાં સાંધાઓ ઉપર વારંવાર ખેચાણ આવવાથી કે ચોટ લાગવાથી થાય છે.

મોબાઈલ અને કમ્પ્યૂટર આજે લોકો, ખાસ કરીને યુવાનોના જીવનનો ભાગ બની ગયો છે. ગેમ રમવી, એસએમએસ કરવા અને ઇન્ટરનેટ સર્ફ કરવું તે યુવાનોની સૌથી ફેવરિટ એક્ટિવિટી બની ગઈ છે. તેમને તો એ પણ ખબર નથી કે તેમની આ એક્ટિવિટી તેમના કાંડા અને આંગળીઓને બેકાર બનાવી શકે છે.

કેવી રીતે બચશોઃ-

-કમ્પ્યૂટરની સામે લગાતાર બેસવાને બદલે દર 1-2 કલાકે નાનકડો બ્રેક લો.

-વચ્ચે-વચ્ચે હાથોમાં એકબીજા સાથે મસળો, એકબીજા હાથથી મસાજ કરો, તેનાથી એક્યુપ્રેશર પણ થશે અને બ્લડ સરક્યુલેશન પણ સુધરશે.

-દર એક-બે કલાકની વચ્ચે આંખો બંધ કરી વિચાર શૂન્ય થઈ ધ્યાન કરો.

પૂજા ઘરમાં કેમ સાવરણી કે ડસ્ટબીન ન રાખવી?


 
કહેવાય છે કે રોજ નિયમિતરીતે ભગવાનની પૂજા આરાધનાથી માનસિક શાંતિ મળે છે. પૂજાથી સકારાત્મક ઊર્જા મળે છે. પૂજાથી મળતી આ ઊર્જાથી વ્યક્તિ પોતાનું કામ વધુ એકાગ્રતાથી કરવા લાગે છે પરંતુ પૂજાનું પૂરું ફળ મળે તેની માટે જરૂરી છે કે પૂજાઘર વાસ્તુ પ્રમાણે હોય. પૂજા ઘરનું વાસ્તુ યોગ્ય હોય તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.

આમ તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂજાઘર ઈશાન ખૂણામાં હોવું જોઈએ કારણ કે ઈશાન ખૂણામાં બેસીને પૂર્વ દિશા તરફ મોં કરી પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે. કારણ કે એ દિશા તરફથી બધી જ સારી દિશાઓ કે સકારાત્મક ઊર્જાઓની વર્ષા થાય છે. ઇશાન સાત્વિક ઊર્જાનો પ્રમુખ સ્ત્રોત હોય છે. કોઈ પણ ભવનમાં ઈશાન ખૂણો સૌથી ઠંડો ભાગ છે.

વાસ્તુ પુરુષનું માથુ ઈશાનમાં હોય છે. જે ઘરમાં ઈશાન ખૂણામાં દોષ હશે તે ઘરના લોકોને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.

એટલે ઘરને આ ખૂણામાં સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ એવી માન્યતા છે કે પૂજા ઘરને ઈશાન ખૂણો અર્થાત્ ઉત્તર-પૂર્વ ખૂણામાં ઝાડુ અને ડસ્ટબીન વગેરે ન રાખવા જોઈએ કારણ કે એમ કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને ઘરમાં બરકત નથી રહેતી અર્થાત્ સમૃદ્ધિ નથી રહેતી. એટલે વાસ્તુ પ્રમાણે જો શક્ય હોય તો પૂજા ઘરને સાફ કરવા માટે એક અલગ કપડું જ રાખવું જોઈએ અને તેને પણ સ્વચ્છ રાખીને જ સફાઈ કરવી જોઈએ.

બીજુ પૂજા કરતી વખતે સાવરણી અને કચરાંપેટી નજીકમાં હોય તો તેનાથી ભગવાનનું ધ્યાન કે પૂજામાં સારી રીતે મન નથી લાગતું એટલા માટે પણ નજીકમાં આ પ્રકારની નકારાત્મક ઊભી કરે તેવી વસ્તુઓ ન રાખવી.

અનેક રોગોમાં રામબાણ ઈલાજ, સ્વાદિસ્ટ વરીયાળી !

શું તમે જાણો છો કે વરિયાળી આપણા શરીર માટે કેટલી લાભદાયક છે, વરિયાળીમાં અનેક ઔષધિય ગુણો મોજુદ હોય છે જે બધાના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. મોટા હોય કે નાના દરેકના સ્વાસ્થ્ય માટે મોટા લાભકારી હોય છે.

1-મગજને લગતા રોગો માટે વરિયાળી ખૂબ લાભકારી હોય છે. તેના નિરંતર ઉપયોગથી આંખો નબળી નથી પડતી અને મોતિયાબિનની સમસ્યા નથી રહેતી.

2-ઊલટી, ઉબકા આવવા, જલન, ઉદરશૂળ પિત્ત વિકાર મરોડ વગેરેમાં વરિયાળીનું સેવન ખૂબ જ લાભદાયી હોય છે.

3-રોજ સવાર અને સાંજે દસ ગ્રામ વરિયાળી ગળપણ મેળવ્યા વગર ચાવવાથી રક્ત સાફ થાય છે અને ત્વચાનો રંગ પણ સાફ થઈ જાય છે.

4-હાથ-પગમાં બળતરાની ફરિયાદ થાય ત્યારે વરિયાળી થોડી ખાંડીને સાકર મેળવી લો. ખાધા પછી રોજ પાણી સાથે એક ચમચી રોજ લેવાથી આ ફરિયાદ દૂર થઈ જાય છે.

5-જો તમારા બાળકોને પેટ ચડી જવાની ફરિયાદ હોય, અપચો, મરોડ અને દૂધ બહાર કાઢવાની ફરિયાદ હોય તો બે ચમચી વરિયાળી પાવડરને 200 ગ્રામ પાણીમાં સારી રીતે ઉકાળો અને ઠંડુ કરી બાટલીમાં ભરી લો. આ પાણી એક-એક ચમપી દિવસમાં બે વાર પીવડાવવાથી બધી ફરિયાદો દૂર થઈ જાય છે.

સંકટનાશક છે વીર હનુમાનના આ 5 સરળ મંત્રો

હનુમાન ભક્તિની સૌથી લોકપ્રિય સ્તુતિ શ્રીહનુમાન ચાલીસાની ચોપાઈમાં શ્રીહનુમાને સંકટમોચક રૂપમાં બતાવતા લખ્યું છે કે...

संकट कटै मिटै सब पीरा। जो सुमिरै हनुमत बलबीरा।।

જેનો સરળ શબ્દોમાં અર્થ થાય છે શ્રીમહાવીર હનુમાનનું સ્મરણ કરવાથી આપણા બધા જ દુઃખ દર્દ મટી જાય છે. વાસ્તવમાં હનુમાન રુદ્ર અવતાર છે. રુદ્ર અથવા શિવ પણ દુઃખહર્તા અને કલ્યાણકારી માનવામાં આવે છે. સમુદ્ર મંથનમાં નિકળેલા ઘાતક વિષનું પાન હોય કે ગંગાના ભીષણ પ્રવાહને જટામાં ધારણ કરવાનું, શિવ હંમેશા જગતનું રક્ષણ કરે છે.

રુદ્ર રૂપ હોવાથી શ્રીહનુમાન પણ આવા જ સંકટમોચક શક્તિઓ અને ગુણોના સ્વામી છે. જો તમે પણ શરીર, ધન, પરિવાર, કાર્યક્ષેત્ર, વેપાર, વ્યવસાય સાથે જોડાયેલ કોઈ સંકટ કે મુશ્કેલીથી ઝૂઝી રહ્યા હોવ તો તે વખતે મહાવીર હનુમાનની ઉપાસના ખૂબ જ રાહત આપનારી સાબિત થાય છે. આ ઉદ્દેશ્યથી જ અહીં કેટલાક શ્રીહનુમાનના સરળ મંત્રો બતાવવામાં આવ્યા છે જે ખૂબ જ અચૂક છે.

રવિવાર આમ તો સૂર્યની ઉપાસનાનો દિવસ હોય છે, પરંતુ શાસ્ત્રોમાં સૂર્યદેવ શ્રીહનુમાનના ગુરુ છે. એટલે આ દિવસે સૂર્યનું ધ્યાન કરી શ્રીહનુમાનના આ મંત્રોનો જાપ કરો. આ મંત્ર તમે કોઈ પણ સંકટના સમયે બોલી પોતાનું રક્ષણ કરી શકો છો.

-રવિવારના સવારમાં વહેલા ઊઠી સ્નાન કરી પવિત્ર થઈ જાઓ, ભગવાન સૂર્યદેવને પરિવત્ર જળ ભરેલા કળશથી પૂર્વ દિશા તરફ મો કરી અર્ધ્ય આપો. સૂર્યની પ્રતીમાને ગંધ, ફૂલ અર્પિત કરો.

-ત્યારબાદ ઘર કે મંદિરમાં શ્રીહનુમાનની સામાન્ય પૂજા કરો. જેમાં પવનપુત્રને સિંદૂર, લાલ ચંદન, અક્ષત, ફૂલ, લાલ વસ્ત્ર અર્પિત કરો. ગોળ-ચણાનો ભોગ લગાવો અને શ્રીહનુમાનના આ સરળ મંત્રોની યથાશક્તિ જાપ કરો...

- ॐ महाबल पराक्रमाय नम:

- ॐ सर्वबन्धविमोक्त्रे नम:

- ॐ सर्वदु:खहराय नम:

- ॐ महाकायाय नम:

- ॐ चिरंजीविने नम:


-પૂજા અને મંત્ર પછી શ્રીહનુમાન અને સૂર્યદેવની આરતી ધૂપ, દીપ, કર્પૂરથી કરો.

-છેલ્લે ક્ષમા પ્રાર્થના કરી કષ્ટ-પીડાઓથી રક્ષણ કરવા માટે કામના કરો.

લગ્નમાં કન્યાના સાત વચનોમાં શું હોય છે?

લગ્ન એક એવો મોકો હોય છે જે બે વ્યક્તિઓની સાથે-સાથે બે પરિવારના જીવનને પણ પૂરી રીતે બદલી નાખે છે. લગ્નમાં સૌથી મુખ્ય રસમ હોય છે લગ્નફેરા. હિન્દુ ધર્મ પ્રમાણે સાત ફેરા પછી લગ્નની રસમ પૂરી થાય છે. સાત ફેરા પછી સાત વચન લેવામાં આવે છે. કન્યા દ્વારા લેવામાં આવતા આ સાત વચનો આ પ્રકારે છે.

લગ્ન પછી કન્યા વરના વામ(ડાબા) અંગમાં બેસતા પહેલા તે સાત વચન લે છે. એટલે પત્નીને આપણે ત્યાં વામા માનથી પણ ઓળખવામાં આવે છે. જાણો દરેક વચનમાં શું હોય છે.

1-तीर्थव्रतोद्यापनयज्ञ दानं मया सह त्वं यदि कान्तकुर्या:।

वामांगमायामि तदा त्वदीयं जगाद वाक्यं प्रथमं कुमारी।।


કન્યા કહે છે સ્વામિ તીર્થ વ્રત, ઉદ્યાપન, યજ્ઞ, દાન વગેરે શુભ કાર્ય તમે મારી સાથે કરો તો હું વામ(ડાબા) અંગમાં આવું.

2-हव्यप्रदानैरमरान् पितृश्चं कव्यं प्रदानैर्यदि पूजयेथा:।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं द्वितीयकम्।।


જો તમે હવ્ય આપી દેવતાઓ અને કવ્ય આપી પિતરોની પૂજા કરો તો હું તમારા વામ અંગમાં આવું.

3-कुटुम्बरक्षाभरंणं यदि त्वं कुर्या: पशूनां परिपालनं च।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं तृतीयम्।।


જો તમે મારી તથા પરિવારની રક્ષા કરો અને પશુઓનું પાલન કરો તો હું તમારા વામ અંગમાં આવું. આ ત્રીજી વાત કન્યા કહે છે.

4-आयं व्ययं धान्यधनादिकानां पृष्टवा निवेशं प्रगृहं निदध्या:।।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं चतुर्थकम्।।


જો તમે ધન-ધાન્યાદિને આવક-વ્યયને મારી સંમત્તિથી કરો તો હું તમારા વામ અંગમાં આવું. આ ચોથુ વચન છે.

5-देवालयारामतडागकूपं वापी विदध्या:यदि पूजयेथा:।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं पंचमम्।।


જો દેવાલય, બાગ, કૂપ(કૂવો), તળાવ, વાવડી બનાવીને પૂજા કરો તો હું તમારા વામ અંગમાં આવું.

6-देशान्तरे वा स्वपुरान्तरे वा यदा विदध्या:क्रयविक्रये त्वम्।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं षष्ठम्।।

જો તમે નગરમાં કે કોઈ વિદેશમાં જઈ વેપાર કે નોકરી કરો તો હું વામ અંગમાં આવું. આ છઠ્ઠુ વચન છે.

7-न सेवनीया परिकी यजाया त्वया भवेभाविनि कामनीश्च।

वामांगमायामि तदा त्वदीयं जगाद कन्या वचनं सप्तम्।।


જો તમે પરાયી સ્ત્રીને સ્પર્શ ન કરો તો હું તમારા વામ અંગમાં આવું. આ સાતમું વચન છે.

માનસિક શાંતિ માટે અપનાવો આ 5 ટિપ્સ


હિંદુ ધર્મમાં અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ પાછળ માત્ર ધાર્મિક જ નહી પરંતુ વૈજ્ઞાનિક કારણો છે.

આમાંથી અમુક એવી પરંપરાઓ છે જેના અનુસાર જીવનનિર્વાહ કરવાથી માનસિક શાંતિ મળે છે આ પરંપરાઓ આ પ્રકારે છે.


બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાની પરંપરા ઘણી જુની છે. આ કારણ આ પ્રકારે છે – રાત્રિના અંતિમ પ્રહરને બ્રહ્મમુહુર્ત કહે છે. આપણા ઋષિમુનીઓએ આ મુહૂર્તનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આના અનુસાર આ સમય નીંદ્રાત્યાગ માટે સર્વોત્તમ છે. બ્રહ્મ મુહૂર્તમાં આનું વિશેષ મહત્વ આપવામાં આવ્યુ છે જેનાથી સૌંદર્ય, બળ,વિદ્યા,બુદ્ધિ અને સ્વાસ્થયની પ્રાપ્તિ થાય છે.
 

સવારે ઉઠતાંની સાથે સૌથી પહેલાં આપણે આપણા હાથોના દર્શન કરવા જોઇએ. શાસ્ત્રોમાં કર્મને પ્રધાન ગણવામાં આવ્યુ છે અને હાથોથી જ કર્મ કરવામાં આવે છે. એ સાથે એક માન્યતા એવી પણ માન્યતા છે કે આપણા હાથોમાં વિષ્ણુ, લક્ષ્મી અને સરસ્વતીનો વાસ હોય છે. સવારે – સવારે આના દર્શન કરવાથી દિવસ સારો રહે છે. આનાથી મનને શાંતિ મળે છે.
 

મંદિરમાં વાગનારા નાદ એટલે કે શંખ,અને ઘંટનો રણકાર વાતાવરણને શુદ્ધ બનાવે છે. કહે છે કે મંદિર જવાથી આત્માને શાંતિ મળે છે, ત્યાં પ્રસરી રહેલા ધુપ, બત્તીની સુગંધ વાતાવરણને શુદ્ધ બનાવે છે. આમ મંદિરમાં લગભગ દરેક એવી વસ્તુઓ હોય છે જેનાથી આપણને સકારાત્મક ઊર્જા મળે છે. આપણે જ્યારે મંદિરમાં જઇએ ત્યારે ત્યાં રહેલી સકારાત્મક ઊર્જાનો પ્રભાવ આપણી પર પડે છે અને આપણને અંદર એક અવર્ણનીય શાંતિ અનુભવાય છે.
 

અષ્ટાંગ યોગના વિદ્વાનો અનુસાર ધ્યાનથી આપણે પોતાને નિખારી શકીએ છીએ. સવારનો સમય એ આપણા શરીર અને મન બન્ને સ્ફુર્તિથી ભરેલા હોય છે. સવારે અનુભવાતી તાજગીમાં આપણા મગજમાં કોઇપણ પ્રકારનું દબાણ હોતું નથી. સવારે ધ્યાન કરવાથી કોઇપણ પ્રકારની વાતો અને વિચાર આપણા મગજમાં આખો દિવસ ચાલતા નથી જેનો આપણા સ્વાસ્થય અને વ્યવહાર પર સકારાત્મક પ્રભાવ પડે છે.
 
 
 
રાતે સુતા પહેલા ભગવાનનું સ્મરણ કે મંત્ર જાપ કરો એનાથી ઘેરી ઊંઘ આવે છે અને માનસિક શાંતિ મળે છે.

સુખ-સમૃદ્ધિ જોઈએ તો, ઘરમાં રાખો ફિશ એક્વેરિયમ

વર્તમાન સમયમાં ઘરની સજાવટ માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવે છે. ફિશ એક્વેરિયમ લગાવીને પણ ઘરની શોભા વધારવામાં આવે છે. પરંતુ ફિશ એક્વેરિયમ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતું પણ ઘરના વાસ્તુદોષ પણ સમાપ્ત કરે છે. ફેંગશૂઈ પ્રમાણે ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.

-ઘરમાં એક નાના એક્વેરિયમ(માછલીઘર)માં સોનેરી માછલીઓ પાળવી સૌભાગ્યશાળી માનવામાં આવે છે.

-ફેંગશૂઈમાં માછલી સફળતા અને વ્યવસાયનું પ્રતિક માનવામાં આવે છે.

-ધ્યાન રહે કે એક્વેરિયમમાં આઠ માછલીઓ સોનેરે અને એક કાળા રંગની હોય છે. જો કોઈ સોનેરી માછલી મરી જાય તો એવું માનવામાં આવે છે કે ઘરમાં કોઈ મુસિબત તેને પોતાના માથે લઈ લીધી હતી. એટલે સોનેરી માછલી સોનેરી માછલીનું મરવું અપશુકનિયાળ નથી હોતુ.

-એક્વેરિયમને મુખ્ય દ્વારા-દરવાજાની નજીકમાં ન રાખવું જોઈએ.

-ઉત્તર-પૂર્વ ભાગ ધનસંપત્તિનો તથા સમૃદ્ધિદાયક ભાગ છે. તે જળતત્વનું પ્રતીક છે.

-આ ભાગમાં એક્વેરિયમ રાખવું ઉત્તમ અને શુભ હોય છે. આ સમૃદ્ધિ, સંપત્તિ અને સફળતા આપે છે.

પાંડવો સાથે જોડાયેલી સૌરાષ્ટ્રની આ જગ્યા વિશે જાણો છો

સૌરાષ્ટ્રમાં આવેલા એક એવા સ્થળની વાત કરવી છે જેનું નામ પાંડવો સાથે જોડાયેલું છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત અને તેની આસપાસ પૌરાણિક સ્થળોની આ વાત છે.

માન્યતા પ્રમાણે ધોરાજીના પાટણવાવ ગામ પાસે આવેલા આ ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત વખતના અનેક અવશેષો મોજુદ છે. પાંડવોએ વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રહ્યાં હતા. રસપ્રદ માન્યતા મુજબ પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે મળી ગઈ હતી. બન્નેના પ્રેમલાપ દરમિયાન ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજ પણ તળેટીમાં મોજુદ છે.

તેમજ ઓસમ પર્વત પર આજ પણ પાંડવો ના અવશેષો મોજુદ છે. જેમાં પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવનું મંદિર તેમજ તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ, જેમાં સતત પાણી ડુંગર પરથી ટપક્યા જ રાખે છે. આ ઉપરાંત પટાંગણમાં આવેલી ભીળીથાળી જેમાં ભીમ ભોજન લેતો. તે થાળી આજ પણ મોજુદ છે .સમયાન્તરે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે.

ઓસમ પર્વત મહાભારતના સમયકાળ દરમિયાન માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીના નામથી પ્રચલિત હતા. આ પર્વતની શિલાઓ સિધ્ધિસપાટ અને લીસ્સી હોવાથી માખણિયા પર્વત તરીકે ઓળખાતો હતો. સમયાંતરે વહિંગાલોકન કરતા ઓમ આકારનો પર્વત ર્દષ્ટીમાન થતાં ઓમ+ સમ=ઓસમ પર્વતના નામથી આજે ઓળખાય છે.

ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત પર દર સાલ ભાદરવી અમાસથી ત્રિદિવસીય મેળો માત્રી માતાજીના સાનિધ્યમાં યોજાય છે. આ મેળાનું પાટણવાવ ગ્રામપંચાયત દ્વારા આયોજન કરવામાં આવે છે.



 

 

 

 

 

શવાસનનું અદભુત વિજ્ઞાન

આજના પ્રગતિશીલ યુગમાં માનસિક તણાવ ડગલે ને પગલે જોવા મળે છે. અનેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓનાં મૂળ આ તનાવમાં પડેલાં છે. તનાવનાં વિવિધ કારણોમાં અસલામતી અને અળગાપણાની ભાવના મોખરે છે.
વૈજ્ઞાનિકોએ આ વિષયમાં ઊંડો અભ્યાસ કર્યો છે. અસલામતી અને અળગાપણાની ભાવનાથી શરીર અને મનમાં થતી પ્રક્રિયાઓને ચેતનાની અનુભૂતિ દ્વારા સલામતી અને ઐક્યની ભાવનામાં પલટાવી શકાય છે. તેમ થતાં વ્યક્તિ ઘણા રોગોમાંથી મુક્ત થાય છે. બીજાં કેટલાંક લાભદાયી પરિવર્તનો કરવા આંતરિક શક્તિ પ્રાપ્ત કરે છે અને શાંતિનો અનુભવ કરે છે. ચેતનાની અનુભૂતિ કરાવવાનુમ સામર્થ્ય શવાસનમાં છે. વધુમાં શવાસનથી વ્યક્તિની આત્મશક્તિનો વિકાસ થાય તે ભૌતિક સમૃદ્ધિમાં પણ મદદરૂપ બની વ્યક્તિને જગતમાં ટોચ ઉપર મૂકી શકે છે.
ચેતના
ચેતના એ આપણા અસ્તિત્વનું હાર્દ છે. સમગ્ર વિશ્વ એ ચેતનાનો આવિષ્કાર છે. આપણું શરીર, મન, અને બુદ્ધિ એ આપણી ચેતનાને આવરી લેતાં બહારનાં આવરણો છે. વાસ્તવમાં આપણે એ મહાન તત્વ-ચેતના છીએ. સામાન્યપણે આપણે આ સત્યથી અજાણ હોઈએ છીએ. કારણ કે આપણું ધ્યાન હંમેશા શરીર, મન અને બુદ્ધિને લગતી બાબતોમાં જ રાચતું હોય છે. આ અળગાપણું લાવે છે.
પ્રાણીઓમાં આસપાસની સૃષ્ટિનું ભાન તો હોય છે પણ પોતાનું – સ્વનું ભાન હોતું નથી. એટલે અંશે પ્રાણીઓમાં ચેતના ઓછી છે. તેમ છતાં ચેતના વધતે ઓછે અંશે સર્વત્ર છે. માનવી પોતાની ચેતના વિશે સભાન રહેવાની શક્તિ ધરાવે છે. આપણે આપણા વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને આપણે ઈચ્છીએ તે ઉપર ધ્યાન લઈ જઈ શકીએ છીએ.
આપણે શરીર અને મનને શાંત પાડીએ તો શરીર અને મનને ચેતનવંતુ રાખનારી ચેતનાનો અનુભવ થાય છે. એ ચેતના આપણા સહુની એક છે. વિશ્વને ચેતનવંતુ રાખનારી ચેતનાનો પ્રભાવ આપણમાં ઐક્યની – જોડાણની ભાવના જન્માવે છે અને આપણી શક્તિઓને ખીલવે છે. માત્ર સાત મિનિટના શવાસનથી ચેતનાના ગુણોનો પ્રભાવ આપણી પ્રવૃત્તિઓમાં લગભગ ચારથી પાંચ કલાક રહે છે. શવાસનમાં શરીર અને મનને શાંત કરવાની અદભુત શક્તિ છે. તે વ્યક્તિને મૂળ તત્વ સુધી પહોંચાડી શાશ્વત સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે.
અસલામતીની ભાવના
માનવ શરીરે પોતાના અસ્તિત્વ માટે કેટલીક સ્વયંસંચાલિત યંત્રરચનાઓ વિકસાવી છે. ભય વખતે અનુકંપી (સિમ્પેથેટિક) ચેતાતંત્ર કાર્યાન્વિત બને છે. તે વ્યક્તિને ભય સામે લડી લેવા અથવા ભયથી દૂર નાસી જવા તૈયાર કરે છે. ભય દૂર થતાવેંત પરાનુકંપી (પેરાસિમ્પેથેટિક) ચેતાતંત્રનું કાર્ય શરૂ થાય છે. આથી વ્યક્તિ શાંત પડે છે. આજે હવે જંગલી પ્રાણીઓનો ભય રહ્યો નથી ત્યારે માનવીએ ઘણા કાલ્પનિક ભય ઊભા કર્યા છે. “ધંધામાં સફળતા મળશે કે નહીં? કોલેજમાં ઍડમિશન મળશે કે નહીં? આવા ઉપરાઉપરી વિચારોથી ભયની ગ્રંથિ સતત ઉત્તેજિત રહ્યા કરે છે. એનાથી માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. પરિણામે અનુકંપી ચેતાતંત્ર વારંવાર સક્રિય બને છે. તેમ થતાં ઉત્તેજિત થયેલી ગ્રંથિઓ રસાયણોનો વધારે પડતો સ્ત્રાવ રક્તપ્રવાહમાં ઠાલવે છે. આ કારણે વ્યક્તિ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગ, માઈગ્રેન, ઍસિડિટી, ડિપ્રેશન જેવા અનેક રોગોનો ભોગ બને છે. તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને શરીરના ઘસારાની ક્રિયાને વેગ મળે છે.
અળગાપણાની ભાવના (આઈસોલેશન)
સામાન્યપણે આપણે શરીર અને મનને લગતી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહીએ છીએ. આ પ્રવૃત્તિઓ આપણને આપણામાં રહેલી પરમશક્તિથી અલગ કરે છે અને અળગાપણું લાવે છે. અળગાપણાની ભાવનાથી વ્યક્તિના સ્વભાવમાં ઉગ્રતા, વેરવૃત્તિ, સ્વાર્થીપણું, વગેરે જન્મે છે. આ બધાને કારણે ભાવાત્મક તનાવ ઉત્પન્ન થાય છે. આજના યુગમાં ભાવાત્મક તનાવ સૌથી વિશેષ જોવા મળે છે.
ભાવાત્મક તનાવ વખતે અનુકંપી ચેતાતંત્રની પ્રક્રિયા સતેજ થતાં ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ)માં સંતુલન ખોરવાય છે. તેમ થતાં તનના અને મનના આરોગ્યને હાનિકારક અસરો પહોંચે છે.
શવાસનમાં તેનાથી ઊલટું બને છે. શવાસનથી ચેતાતંત્રમાં સંતુલન પ્રાપ્ત થાય છે, તનાવ ઘટે છે અને વ્યક્તિમાં સલામતી અને ઐક્યની ભાવના ખીલે છે.
જ્યારે મનમાં કોઈ પણ પ્રકારનો તણાવ હોય ત્યારે શરીરના સ્નાયુઓ આપણી જાણ બહાર સૂક્ષ્મ રીતે સંકોચાઈ કદમાં ટૂંકા થાય છે. આ સ્નાયુઓને હળવાશથી થોડા ખેંચી, લંબાવીએ કે તરત જ તનાવનાં ચિહ્નમાં ખાસ્સો ઘટાડો થાય છે. આને muscle to mind control કહે છે. જ્યારે થોડા ખેંચીને લંબાવેલા સ્નાયુને આપણે શિથિલ કરીએ છીએ ત્યારે મન વધુ શાંત થવા લાગે છે. મન ફક્ત મગજમાં નથી, પણ શરીરના અણુએ અણુમાં વ્યાપેલું છે. તેથી મનને શાંત કરવા શરીરને શાંત કરવું જરૂરી છે. શરીરના સ્નાયુઓને વારાફરતી ખેંચી તેને ઢીલા છોડવાની, શિથિલ કરવાની કસરતો શવાસનની ભૂમિકા તૈયાર કરે છે. સ્નાયુઓ શિથિલ થતાં મન શાંત થાય છે. મન શાંત થતાં શરીર વધુ શિથિલ થાય છે. આ સુખદ ચક્ર છે. આ પ્રક્રિયા દરમિયાન મન સ્નાયુ ખેંચવાની અને શિથિલ થવાની ક્રિયામાં પરોવાયેલું રહે તે અગત્યનું છે. શવાસન અને ધ્યાન શાશ્વત વર્તમાન ક્ષણના આનંદને માણવામાં સહાયભૂત થાય છે.
માનવીના શરીરનું સંચાલન મૂળભૂત રીતે મગજ, કરોડરજ્જુ અને જ્ઞાનતંતુના બનેલા ચેતાતંત્ર દ્વારા થાય છે.તણાવ વખતે તેમાં અનુકંપી ચેતાતંત્ર સક્રિય બને છે. શવાસન દરમિયાન પરાનુકંપી ચેતાતંત્ર કાર્યાન્વિત થાય છે અને બંને વચે સંતુલન પ્રાપ્ત થાય છે. પરિણામે ઍડ્રેનલિન, નોરએડ્રેનલિન અને કોર્ટિકોસ્ટેરૉઈડ જેવા હૉર્મોનના સ્ત્રાવ ઘટી નૉર્મલ થાય છે. લેક્ટિક ઍસિડ બનવાનું પ્રમાણ ઘટે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. વળી મગજમાંથી એન્ડ્ર્ફિન્સ અને ન્યુરો પેપ્ટાઈડ્ઝના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તેનાથી શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આ જૈવ રાસાયણિક ફેરફારોથી સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ થાય છે.
શવાસનના ઉપયોગો
શવાસન અને ધ્યાનના ફાયદાઓ સમજાયા પછી તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. આરોગ્યક્ષેત્રે હ્રદયરોગ, કૅન્સર તેમજ ઘણા દર્દોમાં તે લાભદાયી પુરવાર થયેલ છે. વ્યક્તિમાં તનાવ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા, ઉત્પાદન વધારવા ઘણાં ક્ષેત્રમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. રમતવીરોમાં તેનાથી સહનશક્તિ અને સહકારવૃત્તિ વધતાં જોવામાં આવ્યાં છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થાનું ધ્યાન ખેંચાયું છે કે વિદ્યાર્થીઓને જો શવાસન કરાવવામાં આવે તો તેમની એકાગ્રતામાં વધારો થાય. યાદશક્તિ અને ગ્રહણશક્તિ વધે તેમનામાં પડકારો ઝીલવાની ક્ષમતામાં વધારો થાય્ તેમની વિચારસરણી હકારાત્મક બનતાં વિકાસ અને પ્રગતિ ઝડપી બને. સગર્ભા સ્ત્રીઓ માટે પણ શવાસનની ભલામણ કરવામાં આવી છે. તેનાથી માતાના ઉદરમાં વિકસતા બાળક ઉપર મંગલ અસર થાય છે.
શવાસન કરવાની રીત
શવાસન કરવું ખૂબ જ સરળ છે. તે બેસીને પણ કરી શકાય. શવાસન સફળ રીતે કરવા માટે સૌ પ્રથમ આપણું બધું ધ્યાન શરીર ઉપર કેન્દ્રિત કરવાનું હોય છે. આ સમયે બીજા વિચારો આવે તે સ્વાભાવિક છે, પણ તે નકાર્યા વિના વિચારો ઉપર ધ્યાન ન આપતાં શરીર ઉપર ધ્યાન આપવું. વિચારો ઉપર ધ્યાન નહીં આપો તો તે આપોઆપ શમી જશે. તે પછી શ્વાસ સાથે એકરૂપ થતાં શવાસનના લાભ મળવા શરૂ થઈ જાય છે.
શવાસન માટે જમીન પર ચત્તા સૂઈ જાઓ. પગના બે પંજા વચ્ચે એકાદ ફૂટ જેટલું અંતર રાખો. બંને હાથ શરીરથી થોડા દૂર રાખી હથેળી આકાશ તરફ અને મુઠ્ઠી અડધી વાળેલી રાખો. વધુ શિથિલીકરણ માટે નીચે જણાવેલ અંગોને વારાફરતી ખેંચી એ ખેંચાતાં અંગો પર ધ્યાન લાવી, ખેંચાણનો અનુભવ કરી ઢીલાં મૂકતા જાઓ. દરેક ક્રિયા ઉતાવળ કર્યા વગર કે જોર કર્યા વગર બબ્બે વખત લયબદ્ધ રીતે કરો.
૧. બંને પગના પંજાને આગળની તરફ ખેંચી ઢીલા છોડી દો.
૨. ડાબા પગનાં આંગળાથી ઠેઠ થાપા સુધી સ્નાયુઓને ખેંચી ઢીલા છોડી દો. આ પ્રમાણે જમણા પગને પણ બે વખત કરો.
૩. કમર નીચેના અને થાપાના સ્નાયુઓનું સંકુચન કરી ઢીલા છોડી દો.
૪. ફેફસામાં હવા ભરી છાતીના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી, તેને શિથિલ કરો.
૫. બંને હાથની મુઠ્ઠીઓ વાળી પંજાથી ખભા સુધીના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી શિથિલ કરો.
૬. ગરદનને ડાબેથી જમણે અને જમણેથી ડાબે લઈ જઈ, જે સ્થિતિમાં ફાવે તેમ ગરદનને રહેવા દો.
૭. જડબાને ધીરેથી પૂરેપૂરું ખોલો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલું છોડી દો. દાંત ભીંસાય નહીં તે પ્રમાણે જડબું હળવેથી બંધ થવા દો.
૮. આંખો ધીરેથી ખોલો, પૂરી ખોલો, ભ્રમર અને કપાળના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલા છોડી દો. આંખોને હળવેથી બંધ થવા દો.
આમ આખા શરીરને શિથિલ કર્યા બાદ શરીરને ભૂલી શિથિલ અવસ્થામાં પડ્યા રહો. અહીં તમારું મન પણ શાંત થઈ ગયું છે. ખાસ ખ્યાલ રાખો કે શ્વાસ જેમ ચાલે છે તેમ ચાલવા દો. તેની ગતિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તેને માત્ર જોયા કરો. એક પણ શ્વાસ તમારા ખ્યાલ વિના ન અંદર જાય કે ન બહાર આવે તેની તકેદારી રાખો.
એવું બને કે ચિત્ત શ્વાસોચ્છવાસ ઉપરથી ખસી અન્ય વિચારોમાં સરકી જાય, તેનો ખ્યાલ આવે કે તરત તેને હળવેથી પાછું શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં જોડી દો. શરીરના પ્રત્યેક સ્નાયુ શિથિલ થતાં, શ્વાસ સાથે એકરૂપ બનતાં, શ્વસન પોતાની મેળે ઉદરીય બને છે. ઉદરીય શ્વસન શિથિલીકરણને વધુ ઊંડું બનાવે છે. આવી પ્રગાઢ શાંતિની સ્થિતિમાં થોડી મિનિટ પડ્યા રહો. આ શવાસન છે. મન શાંત અને શ્વાસ સાથે એકાગ્ર છે. આ પરમ શાંતિ અને આનંદની, ચેતનાની અનુભુતિની ક્ષણો છે. આ ક્ષણે કેટલીક વિશિષ્ટ ઘટનાઓ ઘટે છે.
તમે તમારું ધ્યાન જ્યારથી એક પછી એક ખેંચાતા અને શિથિલ થતાં સ્નાયુઓ ઉપર લઈ જાઓ છો ત્યારથી શવાસનની શરૂઆત થાય છે અને શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી તે સંપૂર્ણ થાય છે. શવાસનમાંથી બહાર આવવા એક-બે ઊંડા શ્વાસ લઈ હળવેથી હાથપગ હલાવી પડખું ફરી બેઠા થાઓ.
શવાસનમાં વિશિષ્ટ શું બને છે?
૧. વ્યક્તિનો તનાવ પ્રત્યે પ્રતિભાવ બદલાય છે. વ્યક્તિના વિચારો, વૃત્તિઓ, ભાવનાઓમાં પરિવર્તન આવે છે. ક્રોધ, વેરભાવ શમે છે.
૨. શવાસનમાં વર્તમાનમાં રહેવાનો મહાવરો થાય છે.
૩. શવાસન દરમિયાન વ્યક્તિને પોતાની સાચી ઓળખ થાય છે અને અહેસાસ થાય છે કે જે શાશ્વત અને અવિનાશી છે તે પોતે જ છે, તેને મૃત્યુનો ભય ક્યાંથી હોય!
૪. શવાસન દરમિયાન શરીરને નિષ્પ્રાણ જેવું બનાવવાનો અનુભવ થતો હોવાથી પણ મૃત્યુનો ડર ઘટી જાય છે.
૫. શવાસનમાં વ્યક્તિ પોતાની આકાંક્ષાઓનું મનોપટ પર ચિત્ર ખડું કરી તે ફળીભૂત થાય તો કેવો આનંદ થાય તે અનુભૂતિ જો વારંવાર કરે તો એ આકાંક્ષાઓ ફળીભૂત થવામાં સહાય થાય.
૬. શવાસન દરમિયાન ધ્યાન વખતે વ્યક્તિ પોતા માટે, સહુ માટે, પોતાના પ્રતિસ્પર્ધી કે વિરોધી માટે પણ પ્રેમ અને કરુણાથી ભરપૂર શુભ ભાવના રાખે તો તે અન્યોને કલ્યાણકારી નીવડે તે કરતાં વધુ, વ્યક્તિને પોતાને શ્રેયકર નીવડે છે.
૭. આ ક્ષણ માનવીય ગુણોમાં પરિવર્તન માટે ટર્નિંગ પૉઈન્ટ બની રહે છે.
શીઘ્ર શવાસન
શરીરનાં બધાં અંગો વારાફરતી ખેંચી શિથિલ કરી શવાસન કરવા માટે સમય ન હોય તો શીઘ્ર શવાસન કરીને શવાસનનો લાભ લઈ શકાય.
આરામથી ચત્તા સૂઈ શરીર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હાથ, પગ અને ધડના સ્નાયુઓને એક સાથે ખેંચી, સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવી જાઓ. ફરી એ પ્રમાણે કરો. થોડી મિનિટ શિથિલ અવસ્થામાં શ્વાસ સાથે એકાગ્ર થઈ પડ્યા રહો. પછી એક-બે ઊંડા શ્વાસ લઈ હળવેથી હાથપગ હલાવી પડખું ફરી બેઠા થાઓ
આજના પ્રગતિશીલ યુગમાં માનસિક તણાવ ડગલે ને પગલે જોવા મળે છે. અનેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓનાં મૂળ આ તનાવમાં પડેલાં છે. તનાવનાં વિવિધ કારણોમાં અસલામતી અને અળગાપણાની ભાવના મોખરે છે.
વૈજ્ઞાનિકોએ આ વિષયમાં ઊંડો અભ્યાસ કર્યો છે. અસલામતી અને અળગાપણાની ભાવનાથી શરીર અને મનમાં થતી પ્રક્રિયાઓને ચેતનાની અનુભૂતિ દ્વારા સલામતી અને ઐક્યની ભાવનામાં પલટાવી શકાય છે. તેમ થતાં વ્યક્તિ ઘણા રોગોમાંથી મુક્ત થાય છે. બીજાં કેટલાંક લાભદાયી પરિવર્તનો કરવા આંતરિક શક્તિ પ્રાપ્ત કરે છે અને શાંતિનો અનુભવ કરે છે. ચેતનાની અનુભૂતિ કરાવવાનુમ સામર્થ્ય શવાસનમાં છે. વધુમાં શવાસનથી વ્યક્તિની આત્મશક્તિનો વિકાસ થાય તે ભૌતિક સમૃદ્ધિમાં પણ મદદરૂપ બની વ્યક્તિને જગતમાં ટોચ ઉપર મૂકી શકે છે.
ચેતના
ચેતના એ આપણા અસ્તિત્વનું હાર્દ છે. સમગ્ર વિશ્વ એ ચેતનાનો આવિષ્કાર છે. આપણું શરીર, મન, અને બુદ્ધિ એ આપણી ચેતનાને આવરી લેતાં બહારનાં આવરણો છે. વાસ્તવમાં આપણે એ મહાન તત્વ-ચેતના છીએ. સામાન્યપણે આપણે આ સત્યથી અજાણ હોઈએ છીએ. કારણ કે આપણું ધ્યાન હંમેશા શરીર, મન અને બુદ્ધિને લગતી બાબતોમાં જ રાચતું હોય છે. આ અળગાપણું લાવે છે.
પ્રાણીઓમાં આસપાસની સૃષ્ટિનું ભાન તો હોય છે પણ પોતાનું – સ્વનું ભાન હોતું નથી. એટલે અંશે પ્રાણીઓમાં ચેતના ઓછી છે. તેમ છતાં ચેતના વધતે ઓછે અંશે સર્વત્ર છે. માનવી પોતાની ચેતના વિશે સભાન રહેવાની શક્તિ ધરાવે છે. આપણે આપણા વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ અને આપણે ઈચ્છીએ તે ઉપર ધ્યાન લઈ જઈ શકીએ છીએ.
આપણે શરીર અને મનને શાંત પાડીએ તો શરીર અને મનને ચેતનવંતુ રાખનારી ચેતનાનો અનુભવ થાય છે. એ ચેતના આપણા સહુની એક છે. વિશ્વને ચેતનવંતુ રાખનારી ચેતનાનો પ્રભાવ આપણમાં ઐક્યની – જોડાણની ભાવના જન્માવે છે અને આપણી શક્તિઓને ખીલવે છે. માત્ર સાત મિનિટના શવાસનથી ચેતનાના ગુણોનો પ્રભાવ આપણી પ્રવૃત્તિઓમાં લગભગ ચારથી પાંચ કલાક રહે છે. શવાસનમાં શરીર અને મનને શાંત કરવાની અદભુત શક્તિ છે. તે વ્યક્તિને મૂળ તત્વ સુધી પહોંચાડી શાશ્વત સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે.
અસલામતીની ભાવના
માનવ શરીરે પોતાના અસ્તિત્વ માટે કેટલીક સ્વયંસંચાલિત યંત્રરચનાઓ વિકસાવી છે. ભય વખતે અનુકંપી (સિમ્પેથેટિક) ચેતાતંત્ર કાર્યાન્વિત બને છે. તે વ્યક્તિને ભય સામે લડી લેવા અથવા ભયથી દૂર નાસી જવા તૈયાર કરે છે. ભય દૂર થતાવેંત પરાનુકંપી (પેરાસિમ્પેથેટિક) ચેતાતંત્રનું કાર્ય શરૂ થાય છે. આથી વ્યક્તિ શાંત પડે છે. આજે હવે જંગલી પ્રાણીઓનો ભય રહ્યો નથી ત્યારે માનવીએ ઘણા કાલ્પનિક ભય ઊભા કર્યા છે. “ધંધામાં સફળતા મળશે કે નહીં? કોલેજમાં ઍડમિશન મળશે કે નહીં? આવા ઉપરાઉપરી વિચારોથી ભયની ગ્રંથિ સતત ઉત્તેજિત રહ્યા કરે છે. એનાથી માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. પરિણામે અનુકંપી ચેતાતંત્ર વારંવાર સક્રિય બને છે. તેમ થતાં ઉત્તેજિત થયેલી ગ્રંથિઓ રસાયણોનો વધારે પડતો સ્ત્રાવ રક્તપ્રવાહમાં ઠાલવે છે. આ કારણે વ્યક્તિ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હ્રદયરોગ, માઈગ્રેન, ઍસિડિટી, ડિપ્રેશન જેવા અનેક રોગોનો ભોગ બને છે. તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને શરીરના ઘસારાની ક્રિયાને વેગ મળે છે.
અળગાપણાની ભાવના (આઈસોલેશન)
સામાન્યપણે આપણે શરીર અને મનને લગતી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહીએ છીએ. આ પ્રવૃત્તિઓ આપણને આપણામાં રહેલી પરમશક્તિથી અલગ કરે છે અને અળગાપણું લાવે છે. અળગાપણાની ભાવનાથી વ્યક્તિના સ્વભાવમાં ઉગ્રતા, વેરવૃત્તિ, સ્વાર્થીપણું, વગેરે જન્મે છે. આ બધાને કારણે ભાવાત્મક તનાવ ઉત્પન્ન થાય છે. આજના યુગમાં ભાવાત્મક તનાવ સૌથી વિશેષ જોવા મળે છે.
ભાવાત્મક તનાવ વખતે અનુકંપી ચેતાતંત્રની પ્રક્રિયા સતેજ થતાં ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ)માં સંતુલન ખોરવાય છે. તેમ થતાં તનના અને મનના આરોગ્યને હાનિકારક અસરો પહોંચે છે.
શવાસનમાં તેનાથી ઊલટું બને છે. શવાસનથી ચેતાતંત્રમાં સંતુલન પ્રાપ્ત થાય છે, તનાવ ઘટે છે અને વ્યક્તિમાં સલામતી અને ઐક્યની ભાવના ખીલે છે.
જ્યારે મનમાં કોઈ પણ પ્રકારનો તણાવ હોય ત્યારે શરીરના સ્નાયુઓ આપણી જાણ બહાર સૂક્ષ્મ રીતે સંકોચાઈ કદમાં ટૂંકા થાય છે. આ સ્નાયુઓને હળવાશથી થોડા ખેંચી, લંબાવીએ કે તરત જ તનાવનાં ચિહ્નમાં ખાસ્સો ઘટાડો થાય છે. આને muscle to mind control કહે છે. જ્યારે થોડા ખેંચીને લંબાવેલા સ્નાયુને આપણે શિથિલ કરીએ છીએ ત્યારે મન વધુ શાંત થવા લાગે છે. મન ફક્ત મગજમાં નથી, પણ શરીરના અણુએ અણુમાં વ્યાપેલું છે. તેથી મનને શાંત કરવા શરીરને શાંત કરવું જરૂરી છે. શરીરના સ્નાયુઓને વારાફરતી ખેંચી તેને ઢીલા છોડવાની, શિથિલ કરવાની કસરતો શવાસનની ભૂમિકા તૈયાર કરે છે. સ્નાયુઓ શિથિલ થતાં મન શાંત થાય છે. મન શાંત થતાં શરીર વધુ શિથિલ થાય છે. આ સુખદ ચક્ર છે. આ પ્રક્રિયા દરમિયાન મન સ્નાયુ ખેંચવાની અને શિથિલ થવાની ક્રિયામાં પરોવાયેલું રહે તે અગત્યનું છે. શવાસન અને ધ્યાન શાશ્વત વર્તમાન ક્ષણના આનંદને માણવામાં સહાયભૂત થાય છે.
માનવીના શરીરનું સંચાલન મૂળભૂત રીતે મગજ, કરોડરજ્જુ અને જ્ઞાનતંતુના બનેલા ચેતાતંત્ર દ્વારા થાય છે.તણાવ વખતે તેમાં અનુકંપી ચેતાતંત્ર સક્રિય બને છે. શવાસન દરમિયાન પરાનુકંપી ચેતાતંત્ર કાર્યાન્વિત થાય છે અને બંને વચે સંતુલન પ્રાપ્ત થાય છે. પરિણામે ઍડ્રેનલિન, નોરએડ્રેનલિન અને કોર્ટિકોસ્ટેરૉઈડ જેવા હૉર્મોનના સ્ત્રાવ ઘટી નૉર્મલ થાય છે. લેક્ટિક ઍસિડ બનવાનું પ્રમાણ ઘટે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. વળી મગજમાંથી એન્ડ્ર્ફિન્સ અને ન્યુરો પેપ્ટાઈડ્ઝના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તેનાથી શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આ જૈવ રાસાયણિક ફેરફારોથી સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિ થાય છે.
શવાસનના ઉપયોગો
શવાસન અને ધ્યાનના ફાયદાઓ સમજાયા પછી તેનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે. આરોગ્યક્ષેત્રે હ્રદયરોગ, કૅન્સર તેમજ ઘણા દર્દોમાં તે લાભદાયી પુરવાર થયેલ છે. વ્યક્તિમાં તનાવ ઘટાડવા, કાર્યક્ષમતા વધારવા, ઉત્પાદન વધારવા ઘણાં ક્ષેત્રમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. રમતવીરોમાં તેનાથી સહનશક્તિ અને સહકારવૃત્તિ વધતાં જોવામાં આવ્યાં છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થાનું ધ્યાન ખેંચાયું છે કે વિદ્યાર્થીઓને જો શવાસન કરાવવામાં આવે તો તેમની એકાગ્રતામાં વધારો થાય. યાદશક્તિ અને ગ્રહણશક્તિ વધે તેમનામાં પડકારો ઝીલવાની ક્ષમતામાં વધારો થાય્ તેમની વિચારસરણી હકારાત્મક બનતાં વિકાસ અને પ્રગતિ ઝડપી બને. સગર્ભા સ્ત્રીઓ માટે પણ શવાસનની ભલામણ કરવામાં આવી છે. તેનાથી માતાના ઉદરમાં વિકસતા બાળક ઉપર મંગલ અસર થાય છે.
શવાસન કરવાની રીત
શવાસન કરવું ખૂબ જ સરળ છે. તે બેસીને પણ કરી શકાય. શવાસન સફળ રીતે કરવા માટે સૌ પ્રથમ આપણું બધું ધ્યાન શરીર ઉપર કેન્દ્રિત કરવાનું હોય છે. આ સમયે બીજા વિચારો આવે તે સ્વાભાવિક છે, પણ તે નકાર્યા વિના વિચારો ઉપર ધ્યાન ન આપતાં શરીર ઉપર ધ્યાન આપવું. વિચારો ઉપર ધ્યાન નહીં આપો તો તે આપોઆપ શમી જશે. તે પછી શ્વાસ સાથે એકરૂપ થતાં શવાસનના લાભ મળવા શરૂ થઈ જાય છે.
શવાસન માટે જમીન પર ચત્તા સૂઈ જાઓ. પગના બે પંજા વચ્ચે એકાદ ફૂટ જેટલું અંતર રાખો. બંને હાથ શરીરથી થોડા દૂર રાખી હથેળી આકાશ તરફ અને મુઠ્ઠી અડધી વાળેલી રાખો. વધુ શિથિલીકરણ માટે નીચે જણાવેલ અંગોને વારાફરતી ખેંચી એ ખેંચાતાં અંગો પર ધ્યાન લાવી, ખેંચાણનો અનુભવ કરી ઢીલાં મૂકતા જાઓ. દરેક ક્રિયા ઉતાવળ કર્યા વગર કે જોર કર્યા વગર બબ્બે વખત લયબદ્ધ રીતે કરો.
૧. બંને પગના પંજાને આગળની તરફ ખેંચી ઢીલા છોડી દો.
૨. ડાબા પગનાં આંગળાથી ઠેઠ થાપા સુધી સ્નાયુઓને ખેંચી ઢીલા છોડી દો. આ પ્રમાણે જમણા પગને પણ બે વખત કરો.
૩. કમર નીચેના અને થાપાના સ્નાયુઓનું સંકુચન કરી ઢીલા છોડી દો.
૪. ફેફસામાં હવા ભરી છાતીના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી, તેને શિથિલ કરો.
૫. બંને હાથની મુઠ્ઠીઓ વાળી પંજાથી ખભા સુધીના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવી શિથિલ કરો.
૬. ગરદનને ડાબેથી જમણે અને જમણેથી ડાબે લઈ જઈ, જે સ્થિતિમાં ફાવે તેમ ગરદનને રહેવા દો.
૭. જડબાને ધીરેથી પૂરેપૂરું ખોલો. સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલું છોડી દો. દાંત ભીંસાય નહીં તે પ્રમાણે જડબું હળવેથી બંધ થવા દો.
૮. આંખો ધીરેથી ખોલો, પૂરી ખોલો, ભ્રમર અને કપાળના સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ કરી ઢીલા છોડી દો. આંખોને હળવેથી બંધ થવા દો.
આમ આખા શરીરને શિથિલ કર્યા બાદ શરીરને ભૂલી શિથિલ અવસ્થામાં પડ્યા રહો. અહીં તમારું મન પણ શાંત થઈ ગયું છે. ખાસ ખ્યાલ રાખો કે શ્વાસ જેમ ચાલે છે તેમ ચાલવા દો. તેની ગતિમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તેને માત્ર જોયા કરો. એક પણ શ્વાસ તમારા ખ્યાલ વિના ન અંદર જાય કે ન બહાર આવે તેની તકેદારી રાખો.
એવું બને કે ચિત્ત શ્વાસોચ્છવાસ ઉપરથી ખસી અન્ય વિચારોમાં સરકી જાય, તેનો ખ્યાલ આવે કે તરત તેને હળવેથી પાછું શ્વાસોચ્છવાસના નિરીક્ષણમાં જોડી દો. શરીરના પ્રત્યેક સ્નાયુ શિથિલ થતાં, શ્વાસ સાથે એકરૂપ બનતાં, શ્વસન પોતાની મેળે ઉદરીય બને છે. ઉદરીય શ્વસન શિથિલીકરણને વધુ ઊંડું બનાવે છે. આવી પ્રગાઢ શાંતિની સ્થિતિમાં થોડી મિનિટ પડ્યા રહો. આ શવાસન છે. મન શાંત અને શ્વાસ સાથે એકાગ્ર છે. આ પરમ શાંતિ અને આનંદની, ચેતનાની અનુભુતિની ક્ષણો છે. આ ક્ષણે કેટલીક વિશિષ્ટ ઘટનાઓ ઘટે છે.
તમે તમારું ધ્યાન જ્યારથી એક પછી એક ખેંચાતા અને શિથિલ થતાં સ્નાયુઓ ઉપર લઈ જાઓ છો ત્યારથી શવાસનની શરૂઆત થાય છે અને શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી તે સંપૂર્ણ થાય છે. શવાસનમાંથી બહાર આવવા એક-બે ઊંડા શ્વાસ લઈ હળવેથી હાથપગ હલાવી પડખું ફરી બેઠા થાઓ.
શવાસનમાં વિશિષ્ટ શું બને છે?
૧. વ્યક્તિનો તનાવ પ્રત્યે પ્રતિભાવ બદલાય છે. વ્યક્તિના વિચારો, વૃત્તિઓ, ભાવનાઓમાં પરિવર્તન આવે છે. ક્રોધ, વેરભાવ શમે છે.
૨. શવાસનમાં વર્તમાનમાં રહેવાનો મહાવરો થાય છે.
૩. શવાસન દરમિયાન વ્યક્તિને પોતાની સાચી ઓળખ થાય છે અને અહેસાસ થાય છે કે જે શાશ્વત અને અવિનાશી છે તે પોતે જ છે, તેને મૃત્યુનો ભય ક્યાંથી હોય!
૪. શવાસન દરમિયાન શરીરને નિષ્પ્રાણ જેવું બનાવવાનો અનુભવ થતો હોવાથી પણ મૃત્યુનો ડર ઘટી જાય છે.
૫. શવાસનમાં વ્યક્તિ પોતાની આકાંક્ષાઓનું મનોપટ પર ચિત્ર ખડું કરી તે ફળીભૂત થાય તો કેવો આનંદ થાય તે અનુભૂતિ જો વારંવાર કરે તો એ આકાંક્ષાઓ ફળીભૂત થવામાં સહાય થાય.
૬. શવાસન દરમિયાન ધ્યાન વખતે વ્યક્તિ પોતા માટે, સહુ માટે, પોતાના પ્રતિસ્પર્ધી કે વિરોધી માટે પણ પ્રેમ અને કરુણાથી ભરપૂર શુભ ભાવના રાખે તો તે અન્યોને કલ્યાણકારી નીવડે તે કરતાં વધુ, વ્યક્તિને પોતાને શ્રેયકર નીવડે છે.
૭. આ ક્ષણ માનવીય ગુણોમાં પરિવર્તન માટે ટર્નિંગ પૉઈન્ટ બની રહે છે.
શીઘ્ર શવાસન
શરીરનાં બધાં અંગો વારાફરતી ખેંચી શિથિલ કરી શવાસન કરવા માટે સમય ન હોય તો શીઘ્ર શવાસન કરીને શવાસનનો લાભ લઈ શકાય.
આરામથી ચત્તા સૂઈ શરીર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી હાથ, પગ અને ધડના સ્નાયુઓને એક સાથે ખેંચી, સ્નાયુઓ શિથિલ કરી મૂળ સ્થિતિમાં આવી જાઓ. ફરી એ પ્રમાણે કરો. થોડી મિનિટ શિથિલ અવસ્થામાં શ્વાસ સાથે એકાગ્ર થઈ પડ્યા રહો. પછી એક-બે ઊંડા શ્વાસ લઈ હળવેથી હાથપગ હલાવી પડખું ફરી બેઠા થાઓ

આયુર્વેદ

1) આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ
   
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ


(
) ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા
,  
   
ચોમાસે ભલા, ત્રિફલા જાણી જો બારે માસ


(
) ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસુ  રોગીનું
,
   
મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું


(4
) બાજરીના રોટલા ખાય જો
,
     
હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન


(5
) રોટલા,કઠોળને , ખાનારની તબીઅત તાજી

    
રાતે ખાય તે રહે  રાજી
 

(6
    દૂધ-સાકર, એલચી, વરીયાળી ને દ્રાક્ષ ગાનારા સૌ ખાય

(7
)આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર

     
શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર


(8
) ખાંડ,મીઠું અને સોડા સફેદ ત્રણ ઝેર કહેવાય
,
     
નિત ખાવા પીવામાં વિવેક બુદ્ધિથી લેવાય


(9
) કજીયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી


(1
) હિંગ,મરચું ને આમલી ને સોપારી ને તેલ

     
જો ખાવાનો શોખ હોઈ તો પાંચેય વસ્તુ મેલ


(11
) લીંબુ કહે હું ગોળ ગોળ ,ભલે રસ મારો છે ખાટો
,
     
મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો

(12) મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ,
     
બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું  માંદુ


(13
) આમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ

       
લીંબુમાં અવગુણ એક નહીં,  ગુણ છે પુરા વીસ


(1
4) કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી
,
       
જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી


(1
5) સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ  ઔષધ ઉપવાસ
 
       
હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ