મનોવિજ્ઞાનીઓના મત અનુસાર દિવાસ્વપ્ન જોવાથી, ભૂતકાળનુ ચિંતન કરવાથી અને ભવિષ્ય વિશે વિચારતા રહેવાથી તમારા જાગૃત સમયનો અડધો સમય કંજૂસીથી ભરાઈ જાય છે.
હાવર્ડ યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યુ છે કે જ્યારે આપણે વર્તમાનમાં જીવીએ છીએ ત્યારે આપણે સૌથી વધુ ખુશ હોઈએ છીએ અને દુનિયામાં આપણા સ્થાન પર ચિંતા નથી કરતા હોતા.
તેઓનો દાવો છે કે આપણુ દિમાગ 46.9 ટકા જેટલા સમય માટે ભટકતુ જ રહે છે અને આ જ સમયે આપણે સૌથી વધુ દુખી થતા હોઈએ છીએ.
આપણે જ્યારે આપણા હાથમાં હોય તે ક્ષણ માટે જીવતા હોઈએ છીએ એ સમયે આપણે સૌથી વધુ ખુશ હોઈએ છીએ અને સંતુષ્ટ હોઈએ છીએ.
કિંલિંગ્સવર્થે એક આઈફોન એપ્લિકેશન શોધી કાઢી છે જેણે પૂરા વિશ્વના 2250 લોકોને પ્રશ્નો પૂછ્યા હતા કે દિવસ દરમિયાન તેઓ શું કરે છે અને ક્યા વિચારો કરે છે અને ક્યારે ખુશ થાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો