Translate

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

સ્વાસ્થ્યવર્ધક ખજૂર છે ખનીજ તત્વોનો ભંડાર

 

-સ્વાસ્થ્ય વર્ધક ખજૂર ખાવો, તેના આટલાં બધા ફાયદા છે
ખજૂરના પૌષ્ટિક ગુણોને કારણે તે ઉપવાસના દિવસોમાં ખાવામાં ઉત્તમ છે. આપને જાણીને નવાઈ લાગશે કે એક કીલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઉર્જાનો સંચાર કરે છે.

હાલમાં જ થયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે, ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે.

તે ઘણાં ખનીજ પદાર્થો જેવા કે આયરન, પોટેશિયમ, મેગ્નીશિયમ,સલ્ફર, કોપર, કેલ્શિયમ,ફોસફરસનો મુખ્ય સ્ત્રોત પણ છે.

દિવસ દરમિયાન 5-6 ખજૂરના ટુકડા ખાવાથી શરીર ચુસ્ત દુરસ્ત રહે છે. ફક્ત ખજૂર જ નહીં તેના ઝાડના એક એક ભાગ આપણા માટે ઘણાં ઉપયોગી છે.

ખજૂરના ઝાડના પાદડાંમાંથી ફેબ્રિક્સ બને છે તો ખજૂરના ઠડીયાને પ્રોસેસમાંથી પસાર કરી નરમ બનાવી પશુઓ માટે ઉત્તમ પ્રકારનો ચારો બનાવી શકાય છે.

*ખજૂર ખાવાના ફાયદા-દરરોજના ખાવામાં ખજૂર ખાવાથી તન તંદુરસ્ત રહે છે અને વજન વધે છે
-દૂધ સાથે ખજૂર ખાવાથી હાડકા મજબુત થાય છે
-શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધે છે
-કફની પ્રકૃતિ ધરાવતા વ્યક્તિને ખજૂર ખાવાથી ફાયદો થાય છે
-આ સીવાય જો આપ વજન વધારવા માંગતા હોવ તો ખૂજરના ટુકડા કરી તેને ઘીમાં સાતળી લો તેને દરરોજ સવારે ખાવાથી થોડા દિવસોમાં ફરક જોવા મળશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો