સાઉથ આફ્રિકાના ફાંડુજી તળાવનું રાસાયણીક વિશ્લેષણ આજસુધી નથી થઈ શક્યુ
- મુટાલે નામની એક નદીમાંથી આ તળાવમાં આવે છે પાણી
- તળાવનું પાણી પીનારો આજસુધી જીવતો નથી બચ્યો
દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ પ્રાંતના ફાડુંજી તળાવને વૈજ્ઞાનિકોએ સમજવા જેટલો પણ પ્રયાસ કર્યો તેટલા તેઓ વધુ ગુંચવાતા ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ તળાવનું પાણી પીધા પછી કોઈ જીવતુ નથી રહી શક્યુ અને આજ સુધી કોઈપણ વૈજ્ઞાનિક આ પાણીનું રાસાયણિક વિશ્લેષણ કરી નથી શક્યો.
મુટાલે નામની એક નદીમાંથી આ તળાવમાં પાણી આવે છે, તેના ઉદ્દગમ સ્થાનનો પત્તો મેળવવા પણ અનેક કોશીશ થઈ ચુકી છે પરંતુ અત્યારસુધી તેની કોઈ માહિતી નથી મળી શકી. ચોંકાવનારી વાત એ છે કે આ તળાવનું પાણી અજીબો-ગરીબ રીતે ભરતી-ઓટની જેમ ઉંચકાય તેમજ પડે પણ છે.
1947માં હેડરિક નામના એક ખેડૂતે આ તળાવમાં નાવ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. નાવ સહિત જેવો તે તળાવમાં પહોંચ્યો કે તે રહસ્યમયી રીતે ગાયબ થઈ ગયો હતો. હેડરિક અને તેની નાવનો આજ દિન સુધી કોઈ પત્તો નથી મળ્યો. 1953માં બર્ન સાઈડ નામના એક પ્રોફેસે આ તળાવના રહસ્ય પરથી પડદો ઉઠાવવાની કોશીશ કરી હતી. પ્રોફેસર પોતાના સહયોગી સાથે કેટલીક શીશીઓ લઈને તળાવ તરફ ચાલી નીકળ્યા હતા.
કેટલીય સમસ્યા પાર કરીને તેઓ તળાવ પાસે પહોંચ્યા હતા અને પછી તેમણે શીશીઓમાં પાણી ભરી તેને ચાખ્યું હતું. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે નવમા દિવસે તેમનું મોત થયુ હતુ. પોસ્ટમાર્ટમ રિપોર્ટ અનુસાર તેમને આંતરડામાં સોજો આવી જવાથી તેમનુ મોત થયુ હતુ. પ્રોફેસર દ્વારા એકત્રિત નમૂના એટલા ખરાબ થઈ ચુક્યા હતા કે તેમનું પરિક્ષણ કરવું અશક્ય થઈ પડ્યું હતું.
બર્નસાઈટ સાથે તેમનો જે સહયોગી પાંડુજી તળાવનું રહસ્ય જાણવા ગયો હતો તે એક સપ્તાહ પછી પિકનિક મનાવતી વખતે નાવમાં બેસીને સમુદ્રના કિનારાથી દુર ચાલ્યો ગયો હતો. બે દિવસ પછી સમુદ્ર તટ પર તેની લાશ મળી હતી. આજ સુધી કોઈ નથી જાણી શક્યુ કે તેનું મોત એક અકસ્માત હતુ કે પછી તેની પાછળ પણ ફાંડુજીનું કોઈ રહસ્ય છુપાયુ હતુ.
- મુટાલે નામની એક નદીમાંથી આ તળાવમાં આવે છે પાણી
- તળાવનું પાણી પીનારો આજસુધી જીવતો નથી બચ્યો
દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ પ્રાંતના ફાડુંજી તળાવને વૈજ્ઞાનિકોએ સમજવા જેટલો પણ પ્રયાસ કર્યો તેટલા તેઓ વધુ ગુંચવાતા ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ તળાવનું પાણી પીધા પછી કોઈ જીવતુ નથી રહી શક્યુ અને આજ સુધી કોઈપણ વૈજ્ઞાનિક આ પાણીનું રાસાયણિક વિશ્લેષણ કરી નથી શક્યો.
મુટાલે નામની એક નદીમાંથી આ તળાવમાં પાણી આવે છે, તેના ઉદ્દગમ સ્થાનનો પત્તો મેળવવા પણ અનેક કોશીશ થઈ ચુકી છે પરંતુ અત્યારસુધી તેની કોઈ માહિતી નથી મળી શકી. ચોંકાવનારી વાત એ છે કે આ તળાવનું પાણી અજીબો-ગરીબ રીતે ભરતી-ઓટની જેમ ઉંચકાય તેમજ પડે પણ છે.
1947માં હેડરિક નામના એક ખેડૂતે આ તળાવમાં નાવ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. નાવ સહિત જેવો તે તળાવમાં પહોંચ્યો કે તે રહસ્યમયી રીતે ગાયબ થઈ ગયો હતો. હેડરિક અને તેની નાવનો આજ દિન સુધી કોઈ પત્તો નથી મળ્યો. 1953માં બર્ન સાઈડ નામના એક પ્રોફેસે આ તળાવના રહસ્ય પરથી પડદો ઉઠાવવાની કોશીશ કરી હતી. પ્રોફેસર પોતાના સહયોગી સાથે કેટલીક શીશીઓ લઈને તળાવ તરફ ચાલી નીકળ્યા હતા.

કેટલીય સમસ્યા પાર કરીને તેઓ તળાવ પાસે પહોંચ્યા હતા અને પછી તેમણે શીશીઓમાં પાણી ભરી તેને ચાખ્યું હતું. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે નવમા દિવસે તેમનું મોત થયુ હતુ. પોસ્ટમાર્ટમ રિપોર્ટ અનુસાર તેમને આંતરડામાં સોજો આવી જવાથી તેમનુ મોત થયુ હતુ. પ્રોફેસર દ્વારા એકત્રિત નમૂના એટલા ખરાબ થઈ ચુક્યા હતા કે તેમનું પરિક્ષણ કરવું અશક્ય થઈ પડ્યું હતું.
બર્નસાઈટ સાથે તેમનો જે સહયોગી પાંડુજી તળાવનું રહસ્ય જાણવા ગયો હતો તે એક સપ્તાહ પછી પિકનિક મનાવતી વખતે નાવમાં બેસીને સમુદ્રના કિનારાથી દુર ચાલ્યો ગયો હતો. બે દિવસ પછી સમુદ્ર તટ પર તેની લાશ મળી હતી. આજ સુધી કોઈ નથી જાણી શક્યુ કે તેનું મોત એક અકસ્માત હતુ કે પછી તેની પાછળ પણ ફાંડુજીનું કોઈ રહસ્ય છુપાયુ હતુ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો