Translate

શુક્રવાર, 2 માર્ચ, 2012

આયુર્વેદ

1) આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ
   
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ


(
) ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા
,  
   
ચોમાસે ભલા, ત્રિફલા જાણી જો બારે માસ


(
) ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસુ  રોગીનું
,
   
મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું


(4
) બાજરીના રોટલા ખાય જો
,
     
હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન


(5
) રોટલા,કઠોળને , ખાનારની તબીઅત તાજી

    
રાતે ખાય તે રહે  રાજી
 

(6
    દૂધ-સાકર, એલચી, વરીયાળી ને દ્રાક્ષ ગાનારા સૌ ખાય

(7
)આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર

     
શ્વાસ ,શરદી, વેદના, ભાગે જરૂર


(8
) ખાંડ,મીઠું અને સોડા સફેદ ત્રણ ઝેર કહેવાય
,
     
નિત ખાવા પીવામાં વિવેક બુદ્ધિથી લેવાય


(9
) કજીયાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી


(1
) હિંગ,મરચું ને આમલી ને સોપારી ને તેલ

     
જો ખાવાનો શોખ હોઈ તો પાંચેય વસ્તુ મેલ


(11
) લીંબુ કહે હું ગોળ ગોળ ,ભલે રસ મારો છે ખાટો
,
     
મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો

(12) મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ,
     
બે ચાર મહીને પ્રેમે ખાય તો માનસ ઉઠાડું  માંદુ


(13
) આમલીમાં ગુણ એક છે,અવગુણ પુરા ત્રીસ

       
લીંબુમાં અવગુણ એક નહીં,  ગુણ છે પુરા વીસ


(1
4) કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી
,
       
જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી


(1
5) સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ  ઔષધ ઉપવાસ
 
       
હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો