આ વિચારસરણીને કારણે જ મોટાભાગના લોકો લગ્નમાં પોતાની પુત્રીને સોના, ચાંદી કે અન્ય પ્રકારના ભગવાનની મૂર્તિઓ પણ ભેટમાં આપે છે.
આધુનિક યુગમાં ગિફ્ટના રૂપમાં સૌથી વધુ ચલણમાં છે શ્રીગણેશની મૂર્તિ, કારણ કે ગણેશજીને રિદ્ધિ-સિદ્ધિના દાતા માનવામાં આવે છે. એટલે ગણેશજીની મૂર્તિ આપવામાં આવે છે. પરંતુ આપણા વડીલ લોકોની આ બાબતે એવી માન્યતા છે કે પુત્રીને લગ્નમાં પિયરવાળા તરફથી ઉપહારમાં ક્યારેય પણ શ્રીગણેશજીની મૂર્તિ આપવી ન જોઈએ કારણ કે પુત્રીઓ ઘરની લક્ષ્મી હોય છે અન તેમને જો ગણેશજી ભેટ કરવામાં આવે તે રિદ્ધિ-સિદ્ધિ તેમની સાથે ચાલ્યા જાય છે કારણ કે શાસ્ત્રો પ્રમાણે એવી માન્યતા છે કે જ્યાં ગણેશજીનો નિવાસ હોય ત્યાં લક્ષ્મીજીનો નિવાસ હોય છે. એટલે પુત્રીઓના લગ્નમાં ઉપહારમાં ગણેશજી આપવા ન જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો