Translate

બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

નુસખા


નુસખા
કોઈ પણ વ્યક્તિ જાણીજોઈને દેવું કરતી નથી, પરંતુ સમય અને સંજોગ જ એટલા વિકટ બની જાય છે કે વ્યક્તિ ઋણમાંથી મુક્ત થઈ શકતી નથી અને ધનની કમી હંમેશાં વર્તાય છે. આવા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. કેટલાક નુસખાઓ અજમાવીને તમે ઋણમાંથી મુક્ત થઈ શકશો અને ધન પણ મેળવી શકશો.
* શુદ્ધ તામ્રપત્ર પર બનેલ કનકધારા યંત્રને મંગળવારે લાલ કપડાની ઉપર ઘરના પૂજાસ્થાન પર પંચોપચાર પૂજા કરીને સ્થાપિત કરવું તથા ૨૧ કે ૫૦ દિવસ સુધી યંત્રની સામે દીવો પ્રગટાવીને કનકધારા યંત્રનો દરરોજ પાઠ કરવો. આ પ્રયોગ કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે અને આપેલું ધન પણ પાછું મળે છે.
* સુદ પક્ષના પ્રથમ મંગળવારે સ્નાન કરીને પ્રાતઃકાળે શિવાલયમાં જવું અને શિવલિંગ પર મસૂરની દાળ નીચે આપેલા મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં ચઢાવવી.
મંત્રઃ ૐ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ
* આ રીતે દરેક મંગળવારે કરવું. ધીરે ધીરે સઘળું ઋણ ઊતરી જશે. મંત્ર જપ કર્યા પછી પ્રાર્થના અવશ્ય કરવી.
* લાલ રંગનું ચોરસ કપડું લેવું. તેને કોઈ દેવીના ચિત્ર કે ર્મૂિત સામે પાટલા કે બાજોઠ પર પાથરી દેવું. તેમાં લાલ ચંદનનો ટુકડો, લાલ ગુલાબનાં આખાં પુષ્પો તથા ૫૯ સિક્કાઓ (પચાસ પૈસા, એક રૂપિયો, પાંચ રૂપિયા વગેરેના સિક્કા) એકસરખાં મૂલ્યનાં રાખવાં. આ બધા સામાનને કપડામાં લપેટીને તેની પોટલી બનાવી પોતાનાં ગલ્લા અથવા કબાટ, તિજોરી કે પેટીમાં તથા જે પણ હિસાબકિતાબના ચોપડા રાખવાનું સ્થાન હોય ત્યાં રાખવી. છ માસ પછી ફરીથી નવરાત્રિની આઠમે આ પ્રયોગ કરવો.
* દરરોજ સૂર્યદેવને જળનો અર્ધ્ય આપવો. તે જળમાં લાલ મરચાંનાં અગિયાર બીજ નાખીને અર્પણ કરવાં. તે સાથે, ‘ૐ આદિત્યાય નમઃ’ મંત્ર બોલતા રહેવું તથા રોકાઈ ગયેલા ધનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી.
* શયનખંડ ઘરની પશ્ચિમ દિશામાં રાખવો. ત્રણ રતીભારનું ઓનેક્સ રત્ન ચાંદીની વીંટીમાં જડાવીને શુભ મુહૂર્તમાં કનિષ્ઠિકા આંગળીમાં બુધવારના દિવસે ધારણ કરવું.           
* જો કોઈ વ્યક્તિ ધન પાછું ન આપતી હોય તો કપૂરના સુક્કા કાજળથી તેનું નામ ભોજપત્ર પર લખીને કોઈ ભારે વસ્તુની નીચે દબાવીને મૂકવું જોઈએ. આ પ્રયોગના ફળ સ્વરૂપ તે વ્યક્તિ પોતે સામેથી પૈસા પાછા આપી જશે. આ પ્રયોગ સુદ પક્ષના કોઈ પણ સિદ્ધ મુહૂર્તમાં કરવો.
* જો કોઈને પૈસા આપ્યા હોય અને તે પાછા આપતો ન હોય અથવા આનાકાની કરતો હોય તો શ્રદ્ધાપૂર્વક આ પ્રયોગ કરવો. ચાંદીના પ્યાલામાં પાણી પીવું, પાણી પીધા પછી પ્યાલો ઊંધો મૂકવો. કોઈ પણ કૂતરાને પંદર દિવસ સુધી સતત દૂધ પીવડાવવું. આ પંદર દિવસ દરમિયાન કોઈ મંદિરમાં દૂધનું દાન કરવું. સાથે ગયેલા પૈસા પાછા મળે તેવી પ્રાર્થના કરવી.
* જો હંમેશાં ઋણ કે દેવામાં ફસાયેલા રહેવું પડતું હોય તો સ્મશાનના કૂવાનું જળ લાવીને કોઈ પીપળાના વૃક્ષના મૂળ પર ચઢાવવું. આ પ્રયોગ નિયમિત રીતે જો છ શનિવાર સુધી કરવામાં આવે તો આશ્ચર્યજનક પરિણામ મળે છે. આ પ્રયોગ કોઈ શુભ મુહૂર્તમાં કરવો જોઈએ. હોળી અને દિવાળી આ પ્રયોગ માટેનું સિદ્ધ મુહૂર્ત છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો