Translate

બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

પક્ષીશુકનશાસ્ત્ર


પક્ષીશુકનશાસ્ત્ર
પક્ષીશુકનશાસ્ત્રમાં વિવિધ પશુ-પક્ષી, પ્રાણી અને જીવ-જંતુ દ્વારા થતા શુકન-અપશુકનનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી દ્યરમાં ફરતી અને નીકળતી કીડીઓ દ્વારા થતા શુકન-અપશુકનને જાણીએ
* કીડીઓ ઘરની મધ્ય ભૂમિમાંથી પૂર્વ દિશા તરફ જતી જોવા મળે તો થોડા જ દિવસોમાં તે ઘર સૂનું થઈ જાય છે.
* કીડીઓ ઘરની મધ્ય ભૂમિમાંથી વાયવ્ય ખૂણામાં જતી જોવા મળે તો ઘરની ગૃહસ્વામિની કે ગૃહિણી ઘરને છોડીને ક્યાંક અન્યત્ર ચાલી જાય છે.
* જો ઘરની મધ્ય ભૂમિમાંથી ઈશાન ખૂણામાં જતી જોવા મળે તો કોઈ પણ કારણસર ઘર છોડવું પડે છે.
* કીડીઓ શૈયામાંથી (પલંગ કે પથારી) જતી જોવા મળે તો ગૃહિણીને મૃત્યુ સમાન કષ્ટ થાય છે અથવા તેને દીર્ઘકાલીન રોગ થાય છે.
* ઉંબરામાંથી નીકળતી કીડીઓ જોવા મળે તો અનેક પ્રકારના ઉત્પાત પ્રકટ થાય છે.
* જો કીડીઓ ખેતર, દેવાલય, વૃક્ષના મધ્ય ભાગમાંથી નીકળતી કે ચાર રસ્તા પર દેખાય તો જરૂર મિલકતને નુકસાન થઈ શકે છે અથવા ઘર છોડવું પડે છે.
* જ્યારે કીડીઓ ઘીના વાસણમાં પ્રવેશ કરીને એક દિવસ સુધી તેમાં રહે તો થોડાક દિવસોમાં તે ઘરનું ધન ચોરાઈ જાય છે અથવા તો થોડાક દિવસોમાં જ ગૃહસ્વામીને મૃત્યુ સમાન કષ્ટ થાય છે અથવા તેના માટે કોઈ વિશેષ ભય પેદા થાય છે.
* કીડીઓ ધાન્યના ઢગલાની વચમાંથી નીકળે ત્યારે ધાન્યનો ભાવ ઘટી જાય છે.
* જો કીડીઓ રસોડામાં નીકળે તો તેને શુભ માનવામાં આવતું નથી.
* જ્યારે લાલ કીડીઓ ઉપરાંત અન્ય જાતના લાલ કીડાઓ ઈંડાં લીધા સિવાય ઘરના કોઈ પણ સ્થાન પરથી નીકળે ત્યારે સારો વરસાદ વરસાવે છે.
* ઘરના ઈશાન ખૂણામાંથી કીડીઓ નીકળે તો કોઈની સાથે લડાઈ-ઝઘડો થવાની શક્યતા રહે છે.
* કીડીઓ ઘરની પૂર્વ દિશામાં નીકળે તો કોઈ પણ પ્રકારનું નુકસાન થવાની શક્યતા રહે છે.
* જો કીડીઓ ઘરના અગ્નિ ખૂણામાં નીકળે તો અગ્નિથી નુકસાન થવાની શક્યતા રહે છે.
* જો કીડીઓ ઘરની ઉત્તર દિશામાં નીકળે તો સુખ પ્રાપ્ત થાય છે.
* ઘરની દક્ષિણ દિશામાં કીડીઓ નીકળે તો ધનલાભ થાય છે.
* કીડીઓ ઘરના વાયવ્ય ખૂણામાં નીકળે તો સંપત્તિનો લાભ થાય છે.
* ઘરની પશ્ચિમ દિશામાં કીડીઓ નીકળે તો વેપાર-ધંધામાં લાભ થાય છે.
* જો કીડીઓ ઘરના નૈઋત્ય ખૂણામાં નીકળે તો વસ્ત્રલાભ થાય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો