સામાન્ય રીતે લોકો ઘઉંને શક્તિવર્ધક પદાર્થ એટલે કે કાર્બોહાઈડ્રેડથી ભરપૂર માને છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે ઘઉં ઔષધિ તરીકે પણ ઘણા ગુણકારી
ઉધરસ- 20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું ભેળવી 250 ગ્રામ પાણીમાં ઉકાળો જ્યા સુધી પાણીનું પ્રમાણ 1/3 ન રહે. બાદમાં આ ગરમ ગરમ પાણી પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી આપની વર્ષો જુની ઉધરસ દુર થાય છે.
એસીડીટી- 80 ગ્રામ ઘઉંને રાત્રે પાણીમાં પલાળી દો સવારે તેને સારી રીતે પીસી લો. તેમાં થોડી ખાંડ મેળવી લો. ઘઉંના આ રસને પાણીમાં મેળવીને પીવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે એટલું જ નહીં કિડનીના રોગમાં પણ રાહત મળે છે.
હાડકા મજબુત બનાવે છે-એક મુઠ્ઠી ઘઉંને તવા પર શેકી લો. અને બાદમાં તેનો ક્રશ કરી લો. આ અઘકચરા લોટની અંદર મધ મેળવીને ચાટવાથી હાડકા મજબુત બને છે.
યાદશક્તિ વધારે છે ઘઉં- ઘઉંના લોટમાંથી બનતી રાબમાં બદામ મેળવીને પીવાથી યાદશક્તિ વધે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો