Translate

શુક્રવાર, 9 સપ્ટેમ્બર, 2011

ઘઉં ઔષધિ તરીકે પણ ઘણા ગુણકારી છે.

 

સામાન્ય રીતે લોકો ઘઉંને શક્તિવર્ધક પદાર્થ એટલે કે કાર્બોહાઈડ્રેડથી ભરપૂર માને છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે ઘઉં ઔષધિ તરીકે પણ ઘણા ગુણકારી 

ઉધરસ- 20 ગ્રામ ઘઉંના દાણામાં મીઠું ભેળવી 250 ગ્રામ પાણીમાં ઉકાળો જ્યા સુધી પાણીનું પ્રમાણ 1/3 ન રહે. બાદમાં આ ગરમ ગરમ પાણી પી લો. સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી આપની વર્ષો જુની ઉધરસ દુર થાય છે.

એસીડીટી- 80 ગ્રામ ઘઉંને રાત્રે પાણીમાં પલાળી દો સવારે તેને સારી રીતે પીસી લો. તેમાં થોડી ખાંડ મેળવી લો. ઘઉંના આ રસને પાણીમાં મેળવીને પીવાથી એસીડીટીની સમસ્યા દુર થાય છે એટલું જ નહીં કિડનીના રોગમાં પણ રાહત મળે છે.

હાડકા મજબુત બનાવે છે-એક મુઠ્ઠી ઘઉંને તવા પર શેકી લો. અને બાદમાં તેનો ક્રશ કરી લો. આ અઘકચરા લોટની અંદર મધ મેળવીને ચાટવાથી હાડકા મજબુત બને છે.

યાદશક્તિ વધારે છે ઘઉં- ઘઉંના લોટમાંથી બનતી રાબમાં બદામ મેળવીને પીવાથી યાદશક્તિ વધે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો