કારણો
- એસિડીટી(અમ્લતા)આનુ સૌથી મોટુ કારણ છે. વધુ પડતી એસીડિટી થઈ જવાથી અમ્લ ખાટાપાણીના રૂપમાં મોઢામાં આવતુ રહે છે. કેલ્શિયમથી બનેલ દાંતની પરત એનેમલ અમ્લના સંપર્કમાં આવવાથી ઓગળવા માંડે છે. ખાવા-પીવાની ખરાબ આદતો અને વધતા તણાવને કારણે એસિડીટિ વધતી જાય છે, સાથે જ દાંતની સમસ્યા પણ.
- કોલ્ડ ડ્રિંક્સ પણ આ સમસ્યાને કારણે બનેલી રહે છે. કોલ્ડ ડ્રિંક્સ(બધા એયરેટેડ ડ્રિંક્સ)માં પણ અમ્લ હોય છે. તે પણ એનેમલને એસિડીટીની જેમ જ નુકશાન પહોંચાડે છે. આજકાલ નાના બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. લીંબુ અને સંતરાનો રસ પણ આ એનેમલને નુકશાન પહોંચાડે છે, પરંતુ એટલુ નહી.
- કેટલાક લોકો ઉંધમાં દાંત કચકચાવે છે. જેનાથી પણ એનેમલને નુકશાન પહોંચે છે. કાયમ ચ્યુંગમ ખાતા રહેવાથી અને પેંસિલ ચાવતા રહેવા જેવી આદતોથી પણ એનેમલને નુકશાન પહોંચે છે.
ઉપાય -
- સૌ પહેલા એનેમલ ઘસાવાના કારણોને બંધ કરવા જરૂરી છે.
- દવાવાળી ટૂથપેસ્ટનો પ્રયોગ કરવાથી 60 ટકા લોકોની આ સમસ્યા દૂર થઈ જાય છે. માઉથવોશથી પણ ફાયદો થાય છે.
- ડેંટીનના બહાર આવી જવાથી ફિલિંગ કરાવવુ જરૂરી બને છે. પરંતુ જ્યારે ડેંટીનની પરતનો પણ નાશ થાય અને નર્વ બહાર આવે તો રૂટ કેનલ નામની સારવાર કરાવવી પડે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો